ભારતનું પ્રથમ માનવ મહાસાગર અભિયાન, જાણો તેની 10 મહત્વની બાબતો
જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ અનોખા મહાસાગર મિશનની શરૂઆત સાથે ભારત, અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીનની પસંદગીના ક્લબમાં જોડાયા છે.
ચૈન્નાઈ : શુક્રવારના રોજ જ ચૈન્નાઈમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા ભારતના પ્રથમ માનવસહિત મહાસાગર મિશન 'સમુદ્રયાન'ને લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ અનોખા મહાસાગર મિશનની શરૂઆત સાથે ભારત, અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીનની પસંદગીના ક્લબમાં જોડાયા છે. જેમની પાસે પાણીની અંદરની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે સક્ષમ આવા પાણીની અંદર વાહન હશે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે કે, મિશન પરના ત્રણ લોકો 12 થી 96 કલાક સુધી સમુદ્રની નીચે ખૂબ જ ઉંડાણમાં સંશોધન પ્રવૃત્તિઓ કરી શકે.
10 મુખ્ય બાબતો જુઓ, જે ખાસ છે -
ભારતનું પ્રથમ માનવસહિત મહાસાગર અભિયાન
1 - સમુદ્રયાન એ ભારતનું પ્રથમ માનવસહિત ઊંડા મહાસાગર મિશન છે. 'સાગર નિધિ' એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT)નું મુખ્ય સંશોધનજહાજ છે.
પોતાના ટ્વિટર હેન્ડલ પર ઇવેન્ટની કેટલીક તસવીરો શેર કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લખ્યું હતું કે, ભારતની અત્યાધુનિક, ચૈન્નઈ બંદરેથી નીકળતાઆઇસ-ક્લાસ સંશોધન જહાજની સાગર નિધિની ઝલક.
2 - નવું જહાજ સર્વેક્ષણ અને સંસાધનો અને સમુદ્રશાસ્ત્રના સંશોધનના હેતુઓ માટે છે. તેમાં રડાર, સિસ્મોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ શામેલ હશે અને દરિયાના તળનીવિશેષતાઓનો પણ અભ્યાસ કરી શકશે.
સમુદ્રની નીચે ભારતની શક્તિ વધશે
3 - એક પ્રશ્નના જવાબમાં, એક અધિકારીએ જણાવ્યું છે કે, પ્રસ્તાવિત જહાજનું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે, તેના સિસ્મિક સાધનો ખડકો, માટી અને સમગ્ર સમુદ્રના તળના ગુણધર્મોને સમજવા માટે સિસ્મિક સિગ્નલ મોકલી શકે છે, જેનો ઉપયોગ ખનિજો માટે થઈ શકે છે, તેલ, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ જેવી વસ્તુઓની હાજરી શોધવામાં મદદ કરશે.
4 - જો કે, સિસ્મિક સેન્સર અથવા સાધનોની આયાત કરવી પડી શકે છે. જ્યારે રડારનો ઉપયોગ ચક્રવાતની આગાહી કરવા માટે પણ થઈ શકે છે.
1,200 કરોડ સુધીનો અંદાજિત ખર્ચ
5 - પ્રસ્તાવિત નવા જહાજ માટે 1,000 થી 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે ભવિષ્યમાં 38 વર્ષ જૂના જહાજ 'ORV સાગર કન્યા'નું સ્થાન લેશે.
6- ડૉ. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, તેની ટોપ-ક્લાસ ટેક્નોલોજી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને મદદ કરશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પોલીમેટાલિક મેંગેનીઝ નોડ્યુલ્સ,
ગેસ હાઇડ્રેટ, હાઇડ્રો-થર્મલ સલ્ફાઇડ્સ અને કોબાલ્ટ ક્રસ્ટ જેવા નિર્જીવ સંસાધનો શોધવા માટે 1000 થી 5500 મીટરની વચ્ચે ઊંડા સમુદ્રમાં સંશોધનમાં વ્યસ્ત છે.
વૈજ્ઞાનિકો 12 થી 96 કલાક સુધી દરિયાની અંદર રહી શકશે
7- આ વૈજ્ઞાનિક એમ પણ જણાવ્યું હતું કે, માનવસહિત સબમર્સિબલ 'મત્સ્ય 6000'ની પ્રારંભિક ડિઝાઇન પૂર્ણ થઈ ગઈ છે. આ દિશામાં ISRO, IITM અનેDRDO જેવી સંસ્થાઓ પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે.
સત્તાવાર માહિતી અનુસાર, 'મત્સ્ય 6000' ટાઇટેનિયમ એલોયથી બનેલું છે, જેનો વ્યાસ 2.1 મીટરછે, જે સામાન્ય સ્થિતિમાં ત્રણ લોકો સાથે 12 કલાક સુધી ઊંડા સમુદ્રમાં રહી શકે છે અને જો જરૂર પડે તો દરિયાની ઊંડાઈમાં 96 કલાક પણ રહી શકે છે.
8 - 2024 ના બીજા ક્વાર્ટર સુધીમાં ઊંડા પાણીની 'મત્સ્ય 6000' સબમરીન (સબમરીન) ટ્રાયલ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
"અન્ય સંસ્થાઓને ડીપ ઓશનમિશન માટે ટેક્નોલોજી વિકસાવવા અને ખાણકામ, જૈવવિવિધતા, સ્વચ્છ ઉર્જા, તાજા પાણી વગેરેની શક્યતાઓ શોધવા માટે સંકલિત કરવામાં આવશે"
ડીપ ઓશન મિશન માટે 4 હજાર કરોડથી વધુનું બજેટ
9 - આ પહેલીવાર છે કે ભારતમાં દરિયાની ઊંડાઈથી ભૂકંપના સંકેતો મોકલવા જેવી સિસ્ટમ ધરાવતું ડીપ સી જહાજ ભારતમાં બનાવવામાં આવી રહ્યું છે.
10 - મોદી સરકારે ડીપ ઓશન મિશન માટે 5 વર્ષ માટે 4,077 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે, જેનો અમલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવનાર છે.
જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણો વિકાસ કર્યો છે અને એક તરફ જ્યાં ભારતીયો ગગનયાનથી અવકાશમાં પહોંચશે તો બીજી તરફતેઓ સમુદ્રના ઊંડાણમાં સંશોધન પણ કરશે.
(તસવીરો સૌજન્યઃ જિતેન્દ્ર સિંહ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તરફથી ટ્વિટર)