ઈનોવેશન ઈંડેક્સમાં ભારતનો રેન્ક સુધરીને 52 સુધી પહોંચ્યો છેઃ પીએમ

ઈનોવેશન ઈંડેક્સમાં ભારતનો રેન્ક સુધરીને 52 સુધી પહોંચ્યો છેઃ પીએમ

નવી દિલ્હીઃ પીએમ મોદી આજે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107મા સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ સત્ર બેંગ્લોરમાં યોજાઈ રહ્યું છે. આ દરમિયાન બોલતાં પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે વર્ષ અને દશકના મારા શરૂઆતી કાર્યક્રમ સાઈન્સ, ટેક્નોલોજી અને ઈનોવેશન સાથે જોડાયેલ છે. ઈનોવેશન ઈંડેક્સમાં ભારતની રેન્કિંગ સુધરીને 52 સુધી પહોંચી છે, આ વર્ષની વાત છે.

pm modi

અગાઉ પહેલા પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી બે દિવસના કર્ણાટકના પ્રવાસ પર છે. અગાઉ પીએણ મોદીએ ગુરુવારે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ડીઆરડીઓની પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓનું ઉદ્ઘાટન કર્યું. અગાઉ અન્ય એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે છ કરોડ ખેડૂતોના ખાતામાં 12 કરોડ રૂપિયા જમા કરી અમે તેમને નવા વર્ષની ભેટ આપી છે.

ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સંયોગ જ છે હવેથી થોડા સમય પહેલા હું ખેડૂતોના કાર્યક્રમમાં હતો અને હવે અહીં દેશના જવાન અને અનુસંધાનની ચિંતા કરનાર તમે બધા સાથીઓની વચ્ચે છું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પીએમ મોદીનો આ કર્ણાટકમાં પહેલો પ્રવાસ છે, પોતાના આ કાર્યક્રમમાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. પીએમ મોદીએ સૌથી પહેલા તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠમાં એક રેલીને સંબોધિત કરી તે બાદ બેંગ્લોર પહોંચ્યા જ્યાં તેમણે ડીઆરડીઓ યંગ સાઈન્ટિસ્ટ લેબ્સને રાષ્ટ્રને સમર્પિત કરી. કાર્યક્રમને સંબોધિત કરતા પીએણ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ તો એક શરૂઆત છે તમારી સામે માત્ર આગલું 1 વર્ષ નહિ બલકે આગલું 1 દશક છે. આ 1 દશકમાં ડીઆરડીઓનું મીડિયમ અને લૉન્ગ ટર્મ રોડમેપ શું હોય, તેના પર બહુ ગંભીરતાથી વિચાર વિમર્શ કરવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે મને સંતોષ છે કે એડવાન્સ્ડ ટેક્નોલોજીના ક્ષેત્રમાં 5 લેબ્સ સ્થાપિત કરવાના સૂચન પર ગંભીરતાથી કામ થયું અને આજે બેંગ્લોર, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈમાં 5 આવાં સંસ્થાન શરૂ થઈ રહ્યાં છે. પીએણ મોદી કહે છે કે આપણા યુવા વૈજ્ઞાનિક સાથીઓને હું એણ પણ કહેવા માંગું છું આ લેબ્સ, માત્ર ટેક્નોલોજી ટેસ્ટ નહિ કરે, તમારા ટેમ્પરામેન્ટ અે પેશન્સને પણ ટેસ્ટ કરનાર છે. તમારે હંમેશા ધ્યાન રાખવાનું રહેશે કે તમારા પ્રયાસ અને નિરંતર અભ્યાસ જ અમને સફળતાના રસ્તા પર લઈ જશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતાના ભાષણમાં પૂરથી પ્રભાવિત ક્ષેત્રોને સંકટથી ઉગારવા માટે 5 લાખ કરોડ રૂપિયાના પેકેજ પર કંઈ ના કર્યું. મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે ઉત્તર કર્ણાટક અને ગેડગૂ પૂરથી ઘણા પ્રભાવિત છે, આ હિસાબે પાંચ લાખ કરોડ રૂપિયની આર્થિક મદદ કરવામાં આવશે. પીએણ મોદીના કેટલાય ખેડૂતોએ કાળા ઝંડા દેખાડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X