'એક સમયે MBBSનો વિદ્યાર્થી હતો અફઝલ ગુરૂ'

હા જી. અફઝલ તેવો શખ્સ હતો કે જે ભારતની ભૂમિએ જન્મ્યો, પરંતુ પાડોસી દેશ પાકિસ્તાનના કેટલાંક આતંકવાદી સંગઠનોના ચક્કરમાં પડ્યા બાદ તેણે આતંકવાદનો રસ્તો અપનાવી લીધો. ચાલો, એક નજર નાંખીએ તેના જીવન ઉપર.
અફઝલનો જન્મ બારામુલા ખાતે થયો અને ત્યાં જ તેણે શિક્ષણ લીધું. બાળપણથી જ અફઝલ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. જ્યારે તેણે દસમાં અને બારમાં ધોરણની પરીક્ષા ફર્સ્ટ ડિવીઝનમાં પાસ કરી, ત્યારે તેના પરિવારની ખુશી જોવા લાયક હતી. તે નહોતો માંગતો આતંકવાદી બનવા. પોતાના માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા અફઝલે પ્રીમેડિકલ પરીક્ષા આપી અને તેમાં સારી રૅંક હાસલ કરી.
અફઝલ ગુરૂએ એમબીબીએસનો અભ્યાસ શરૂ કર્યો. એમબીબીએસના અભ્યાસ દરમિયાન જ તેણે આઈએએસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. ત્યાં જ જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટનો સભ્ય બની ગયો અને વિદ્યાર્થી જીવનમાં જ તેનો સમ્પર્ક કેટલાંક આતંકવાદીઓ સાથે થયો. તેણે ફ્રંટ સાથે મળી આતંકવાદની ટ્રેનિંગ પણ હાસલ કરી. ટ્રેનિંગ તો લઈ લીધી, પરંતુ જ્યારે દેશ વિરુદ્ધ જંગની વાત આવી, તો અફઝલને કંઈક ખૂંચ્યું અને તેણે બીએસએફ સમક્ષ જઈ આત્મસમર્પણ કરી દીધું. કારણ કે તેણે કોઈ આતંકવાદી બનાવને અંજામ આપ્યો નહોતો, તેથી તેને સજા ન થઈ અને અફઝલ ફરી સામાન્ય જીવનમાં પરત ફર્યો.
અફઝલ ગુરૂએ બારામુલા છોડી દીધું અને સોપોર આવી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેણે કમીશન એજંસી ખોલી અને વ્યાજે પૈસા ઉપાડવા શરૂ કર્યાં, પરંતુ કદાચ તેના ભાગ્યમાં સામાન્ય હિન્દુસ્તાની જેવુ જીવન લખ્યુ જ નહોતું. તે જેટલો આતંકવાદથી દૂર ભાગતો, આતંકવાદ તેનો એટલો જ પીછો કરી રહ્યો હતો. આ દરમિયાન અનંતનાગમાં તેની મુલાકાત આતંકવાદી તારિક સાથે થઈ. તારિક સાથે તે રહેવા લાગ્યો. તે વખતે અફઝલને ખબર નહોતી કે તારિક આતંકવાદી છે. બંનેનું સાથે ઉઠવું-બેસવું વધતું ગયું અને જોત-જોતામાં તારિકે અફઝલને આતંકવાદ માટે પ્રેરિત કરવું શરૂ કરી દીધું. તે અનિચ્છાએ પણ કાશ્મીર માટે જેહાદ સાથે જોડાઈ ગયો. અહીં તેને અઢળક રુપિયાનો લાલચ પણ અપાયો.
તારિકે પાકિસ્તાનના ગાઝિયાબાદ ખાતે રહેતાં કેટલાંક આતંકવાદીઓ સાથે તેનો સમ્પર્ક કરાવ્યો. આ મુલાકાત બાદ તે ફિદાઇન (આત્મઘાતી) બની ગયો. ફિતાઇન એટલે કે કોઈ પણ ઘટનામાં પોતાના મોતની ચિંતા ન કરનારો. પાકિસ્તાનીઓના ચક્કરમાં બર્બાદ થયેલ ઝિંદગી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે અફઝલની મુલાકાતો વધતી ગઈ અને પછી સૌએ એક મિશન તૈયાર કર્યું કે જેના હેઠળ ભારતમાં મોટી સંસ્થાઓ અને દૂતાવાસો ઉપર હુમલો કરવાનું પ્લાનિંગ થયું. તેમનો મુખ્ય લક્ષ્ય દિલ્હી હતી. તેમાં લશ્કર-એ-તોઇબા તથા જૈશ-એ-મોહંમદ બંનેએ મળી પ્લાન બનાવ્યું.
અફઝલ ગુરૂએ પુરતી પ્લાનિંગ સાથે 13મી ડિસેમ્બર, 2001ના રોજ સંસદ હુમલાનો ષડયંત્ર રચ્યો કે જેને જૈશ અને લશ્કરના લડાકાઓએ અંજામ આપ્યો. તે હુમલામાં સાત સુરક્ષાકર્મીઓ શહીદ થયાં. આ હુમલા બાદ દિલ્હી પોલીસ તથા ગુપ્તચર એજંસીઓએ આ હુમલાના ષડયંત્રકારીઓની ધરપકડ માટે તમામ ઘોડા છૂટા કર્યાં અને 15મી ડિસેમ્બરના રોજ પોલીસે અફઝલને ઝડપી પાડ્યો. તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયા અને સુપ્રીમ કોર્ટે 2002માં ફાંસીની સજા સંભળાવી. અફઝલના વકીલે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી કે જેની ઉપર વારંવાર વિચાર થતુ રહ્યું અને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આજે 9મી ફેબ્રુઆરી, 2013ના રોજ અફઝલ ગુરૂને ફાંસીના માંચડે લટકાવી દેવાયો. તેના શબને પણ તિહાર જેલમાં જ દફનાવી દેવાયો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
