ભારતે પાકિસ્તાનમાં જઇ આતંકીઓને મોતને ધાટ ઉતાર્યા
આજે ભારતીય મીડિયા સમક્ષ ભારતીય આર્મીના ડીજીએમઓએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે બુધવારે ભારતીય લશ્કરે સીમા પર ધુસણખોરીના પૂરતા પુરવા મળતા, સર્જિકલ સ્ટ્રાઇક હતી. અને આતંકીઓનો પાકિસ્તાનમાં ધૂસીને ખાતમો બોલાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આ બાદ તેમણે આ અંગે પાકિસ્તાની અધિકારીઓને પણ જણાવ્યું હતું. અને આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન ભારતનો પક્ષ સમજશે.
ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો
વધુમાં ડીજીએમઓ કહ્યું કે પાકિસ્તાન તરફથી વારંવાર ધૂસણખોરી થઇ રહી છે. ઉરી જેવી ઘટનાઓ તેનો સબૂત છે. અને જો પાકિસ્તાન ઇચ્છે તો તે ઉરીના આતંકીઓના ડીએનએ સેમ્પલ પણ આપવા તૈયાર છે. સાથે જ તેમણે જણાવ્યું ભારત નથી ઇચ્છતું કે તેને આવી સર્જીકલ સ્ટ્રાઇક વારંવાર કરવી પડે. પણ હા આવનારા સમયમાં ધૂસણખોરી ઓછી કરવા ભારતીય લશ્કર હંમેશા તૈયાર રહેશે. તેમણે એ પણ જણાવ્યું કે આ સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને મોટું નુક્શાન થયું છે.