ભારતીય સેના વધુ તાકાતવર બનશે, નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતીય સેના વધુ તાકાતવર બનશે, નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ
જોધપુરઃ ભારતે ગુરુવારે વધુ એક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડિઝાઈન ઓર્ગેનાઈઝેશન તરફથી ડેવલપ કરવામાં આવેલી એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ નાગનુંે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરાયું હતું. સવારે 6.45 વાગ્યે મિસાઈલને પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેંજથી દાગવામાં આવી હતી. મિસાઈલને એક વૉરહેડ સાથે ટેસ્ટ કરવામાં આવી અને ગુરુવારે તેનું ફાઈનલ ટ્રાયલ હતું. જે બાદ હવે મિસાઈલ સંપૂર્ણપણે સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.
સેનામાં સામેલ કરવાનો રસ્તો સાફ
સૂત્રો મુજબ એટીજીએમ મિસાઈલ એટીજીએમ નાગ મિસાઈલે બે અલગ અલગ રેન્જ અને વિવિધ પરિસ્થિતિઓમાં પોતાના ટાર્ગેટને ભેદવામાં સફળતા હાંસલ કરી છે. આ સફળ પરીક્ષણ સાથે જ હવે નાગ મિસાઈલને સેનામાં સામેલ કરવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. સાબિત થઈ ગયું કે એટીજીએમથી સંબંધિત આ ટેક્નોલોજી અલગ અલગ હાલતમાં પણ ટાર્ગેટને હિટ કરવામાં સક્ષમ છે.
શું ખાસિયત છે
- મિસાઈલ દાગ્યા બાદ રોકવી અશક્ય.
- નાગ મિસાઈલનું વજન 42 કિલોગ્રામ છે
- નાગ મિસાઈલ 8 કિલોગ્રામ વિસ્ફોટક સાથે ચારથી પાંચ કિમીના લક્ષ્યને આસાનીથી ભેદી શકે છે.
- મિસાઈલની ગતિ 230 કિમી પ્રતિ સેકંડ છે.
- લૉન્ચિંગના તરત બાદ ધુવાડો નથી નીકતો અને આ કારણે દુશ્મનને તરત ખબર નથી પડતી.
- નાગ મિસાઈલને 10 વર્ષ સુધી કોઈપણ પ્રકારના મેન્ટેઈનન્સ વિના ઉપયોગમાં લઈ શકાય છે.
મહારાષ્ટ્રઃ થાણેમાં વીજળી પડવાથી મોટી દૂર્ઘટના, 1નુ મોત અને 26 ઘાયલ