For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISના ચંગુલમાંથી છૂટેલા ડૉક્ટરે જણાવી પોતાની આપવીતી

આતંકવાદી સંગઠનથી છૂટ્યા બાદ રામમૂર્તિએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અને અન્ય અધિકારીઓને ધન્યવાદ કહ્યું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

લીબિયામાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ ના ચંગુલમાંથી છૂટેલા ભારતીય ડૉ.કે.રામમૂર્તિએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અને અન્ય અધિકારીઓને ધન્યવાદ કહ્યું છે.

dr.ramamurthy

આ સાથે જ ડૉક્ટરે પોતાની આપવીતી વર્ણવી છે, જે સાંભળીને ભારતીય અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તેમણે એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, આતંકીઓ તેમને દબાણપૂર્વક ઑપરેશન થિયેટરમાં લઇ જઇ ઑપરેશન કરવાનું કહેતા. પરંતુ તેમણે ક્યારેય કોઇ સર્જરી કરી નથી. તેમણે જણાવ્યું કે, આઇએસઆઇએસના આંતકીઓએ મને 3 વાર ગોળી મારી અને ઘણા અસભ્ય શબ્દોનો ઉપયોગ પણ કર્યો. જેટલા પણ યુવાન આતંકવાદીઓ છે, તે સૌ ખૂબ ભણેલા-ગણેલા છે અને ભારત અંગે ખૂબ સારી રીતે જાણે છે.

ડૉક્ટરે જણાવ્યું કે, તેમને આંતકીઓની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બે ભારતીયો બંધ હતા, તેમને દબાણપૂર્વક વીડિયો બતાડવામાં આવતા. સીરિયા, નાઇજીરિયા જેવા દેશોના વીડિયો બતાવવામાં આવતા. આ વીડિયો ખૂબ જ ડરામણાં હતા. તેમને લાગતુ હતું કે, હું એક ડૉક્ટર છું અને એક દિવસ તેમના કામમાં આવીશ. આથી જ તેમણે મને જીવતો રાખ્યો અને એટલે જ કદાચ હું બચી ગયો.

અહીં વાંચો - દાઉદ ગેંગની નજર રાજકોટ પર, આ વેપારીની લેવાઇ હતી સોપારીઅહીં વાંચો - દાઉદ ગેંગની નજર રાજકોટ પર, આ વેપારીની લેવાઇ હતી સોપારી

ઉલ્લેખનીય છે કે, ડૉ.રામમૂર્તિ કોસાનામનું લગભગ 18 મહિના પહેલાં લીબિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા જિલ્લાના એક ગામના રહેવાસી છે.

English summary
Dr Ramamurthy Kosanam, who was freed from IS captivity, said the Islamic State is looking to take over India. Kosanam after being freed from IS captivity reached India on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X