Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં શાહરૂખખાન સુરક્ષિત નથી, સરકાર સુરક્ષા પુરી પાડે: મલિક

Shah-Rukh-Khan-malik
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: પહેલાં લશ્કર-એ-તોઇબા જેવા ખૂંખાર આતંકવાદી સંગઠનના સંસ્થાપક હાફિજ સઇદે બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની આડમાં ભારત તરફ નિશાન તાક્યું હતું અને પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે ભારતના આંતરિક મુદ્દે દરમિયાનગીરી કરી વાહિયાત નિવેદન આપ્યું છે.

રહેમાન મલિકે ભારતની સુરક્ષા વ્યવ્સ્થા પર આંગળી ચિંધી છે. તેમને શાહરૂખખાનને વિશેષ સુરક્ષા પુરી પાડવાની વાત પર ભાર મૂક્યો છે. રહેમાન મલિકે કહ્યું હતું કે શાહરૂખખાન ભારતમાં સુરક્ષિત નથી, ભારતે કિંહખાનને વિશેષ સુરક્ષા આપવી જોઇએ.

આ અગાઉ પણ રહેમાન મલિકે ભારત યાત્રા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યાં છે. તેમને બાબરી મસ્જિદ અને 26-11ના હુમલાને એક સમાન ગણાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિજ સઇદે ભારતની મજાક ઉડાવતાં શાહરૂખાનને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. સઇદે કહ્યું હતું કે શાહરૂખખાન ભારતમાં સુરક્ષિત નથી માટે તેને પાકિસ્તાન આવવું જોઇએ. પાકિસ્તાનમાં કિંગખાન સન્માન મળશે. પાકિસ્તાન તેમનું દિલથી સ્વાગત કરશે.

હફિજ સઇદનું આ નિવેદન શાહરૂખખાનના એક ઇન્ટરવ્યું બાદ આપ્યું હતું. જેમાં શાહરૂખખાને ભારતમાં મુસલમાનોની હાલતનું વિવરણ કર્યું હતું. જો કે આ મુદ્દે શાહરૂખખાનની હજુ કોઇ પ્રતિક્રિયા આવી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X