For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દંડ લગાવી ભારતીય રેલવે ઘ્વારા 1 વર્ષમાં 1097 કરોડની કમાણી

ભારતીય રેલવે ઘ્વારા ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરનાર લોકોને દંડ ફટકારીને 1 વર્ષમાં 1097 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવે ઘ્વારા ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરનાર લોકોને દંડ ફટકારીને 1 વર્ષમાં 1097 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડો હજુ પણ ઘણો વધી શકે છે કારણકે ભારતીય રેલવે ઘ્વારા કરવામાં આવેલી આ કમાણી એપ્રિલ 2017 થી ફેબ્રુઆરી 2018 દરમિયાન છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ચ મહિના દરમિયાન લગભગ 200 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવી શકે છે.

indian railway

ભારતીય રેલવે તરફ થી 2 વર્ષ પહેલા ફલેસિસ ફેયર સિસ્ટમ રજુ કરવામાં આવી હતી. જેના કારણે રેલવે ને લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી થયી. આ સિસ્ટમ ને આધારે ટ્રેનની તત્કાલ માંગ માટે યાત્રીઓ પાસે થી વધારે ભાડું વસૂલ કરવામાં આવે છે.

આપણે જણાવી દઈએ કે રેલવે બજેટ ને સામાન્ય બજેટ સાથે વિલય કર્યા પછી પૈસા નાણાં મંત્રાલય પાસે જાય છે. જો તે ડેટા વિશે વાત કરવામાં આવે તો, 1000 કરોડ રૂપિયા થી 70 કિલોમીટર રેલવેની નવી લાઈન બનાવવામાં આવે છે. તેમાં જમીનની કિંમત પણ શામેલ છે.

વર્ષ 2016-17 ના આંકડા મુજબ, રેલવેની કુલ પેસેન્જર ટર્નઓવર રૂ. 46,280 કરોડ છે. આ વર્ષે, રેલવેએ વર્ષના અંત સુધીમાં રૂ. 50,000 કરોડનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. એટલું જ નહીં પરંતુ વધુ મુસાફરો ઉમેરવા છે.

રેલવે બોર્ડના એક સભ્ય મોહમ્મદ જમશેદને જણાવ્યું હતું કે અમે ટિકિટ વિના મુસાફરી કરવાનું મુશ્કેલ બનાવી રહ્યા છીએ. ભારતીય રેલવે આ માટે ઘણા કડક પગલાં લઈ રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ટિકિટ વગરના ગુનેગારોમાંથી મેળવેલી રકમ ખૂબ ઊંચી છે.

રેલવે દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ 1 એપ્રિલથી 3 ફેબ્રુઆરી વચ્ચે, 3 કરોડ મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે. તે અન્ય નામે ટિકિટોનો સમાવેશ કરે છે, પુખ્ત વયના અડધા ટિકિટ લે છે જેવી ગેરકાયદે પદ્ધતિઓ શામિલ છે

English summary
Indian railways earned 1097 crore penalties ticketless travellers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X