ઈન્ડિગોની રદ થયેલી ફ્લાઈટના મુસાફરોને વળતર ચુકવવામા આવશે
એરલાઈન કંપની ઈન્ડિગો (IndiGo) દ્વારા તાજેતરમાં 3જી, 4થી અને 5મી ડિસેમ્બરના રોજ રદ કરવામાં આવેલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સને (Cancelled Flights) કારણે અસરગ્રસ્ત મુસાફરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ ફ્લાઈટ રદ થવાથી થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને નિયમો મુજબ મુસાફરોને આર્થિક વળતર ચૂકવવાની ખાતરી આપી છે.

ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રદ થયેલી ફ્લાઈટ્સના અસરગ્રસ્ત મુસાફરોને નિયમોને આધીન 5,000 થી 10,000 સુધીનું વળતર ચૂકવવામાં આવશે. અસરગ્રસ્ત પ્રવાસીઓને 5,000 થી 10,000 સુધીનું વળતર ચૂકવાશે. જે મુસાફરોને વધુ અસર થઈ છે તેમને આ વળતરની રકમની સાથે ટ્રાવેલ વાઉચર (Travel Voucher) પણ આપવામાં આવશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અને માર્ગદર્શિકા અનુસાર આ વળતરની અંતિમ કિંમત નક્કી કરવામાં આવશે.
ઈન્ડિગો એરલાઈન્સે તમામ મુસાફરોને થયેલી ગંભીર અસુવિધા બદલ ખેદ (Apology) વ્યક્ત કર્યો છે. કંપનીએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને તેમની સેવાઓમાં સુધારો કરવામાં આવશે.
આ નિર્ણયથી 3, 4 અને 5 ડિસેમ્બરે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને મોટી રાહત મળી છે. ઈન્ડિગો આ વળતરની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ











Click it and Unblock the Notifications
