Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઈન્ડિગોની રદ થયેલી ફ્લાઈટના મુસાફરોને વળતર ચુકવવામા આવશે

એરલાઈન કંપની ઈન્ડિગો (IndiGo) દ્વારા તાજેતરમાં 3જી, 4થી અને 5મી ડિસેમ્બરના રોજ રદ કરવામાં આવેલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સને (Cancelled Flights) કારણે અસરગ્રસ્ત મુસાફરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

કંપનીએ ફ્લાઈટ રદ થવાથી થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને નિયમો મુજબ મુસાફરોને આર્થિક વળતર ચૂકવવાની ખાતરી આપી છે.

ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રદ થયેલી ફ્લાઈટ્સના અસરગ્રસ્ત મુસાફરોને નિયમોને આધીન 5,000 થી 10,000 સુધીનું વળતર ચૂકવવામાં આવશે. અસરગ્રસ્ત પ્રવાસીઓને 5,000 થી 10,000 સુધીનું વળતર ચૂકવાશે. જે મુસાફરોને વધુ અસર થઈ છે તેમને આ વળતરની રકમની સાથે ટ્રાવેલ વાઉચર (Travel Voucher) પણ આપવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અને માર્ગદર્શિકા અનુસાર આ વળતરની અંતિમ કિંમત નક્કી કરવામાં આવશે.

ઈન્ડિગો એરલાઈન્સે તમામ મુસાફરોને થયેલી ગંભીર અસુવિધા બદલ ખેદ (Apology) વ્યક્ત કર્યો છે. કંપનીએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને તેમની સેવાઓમાં સુધારો કરવામાં આવશે.

આ નિર્ણયથી 3, 4 અને 5 ડિસેમ્બરે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને મોટી રાહત મળી છે. ઈન્ડિગો આ વળતરની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X