‘મોદી ફરીથી બને પ્રધાનમંત્રી, ઈકોનોમીને મળશે ગતિ': નારાયણ મૂર્તિ
આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના અનુશાસન અને જીએસટી સહિત મહત્વના નીતિ વિષયક નિર્ણયોની ખૂબ પ્રશંસા કરી છે.
આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના અનુશાસન અને જીએસટી સહિત મહત્વના નીતિ વિષયક નિર્ણયોની ખૂબ પ્રશંસા કરી છે. વળી, તેમણે પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું સમર્થન કર્યુ છે. ઈટી નાઉ સાથે વાત કરતા મૂર્તિએ કહ્યુ કે વર્તમાન સરકારની નિરંતરતા ભારત માટે સારી હશે. તેનાથી ઈકોનોમીને ગતિ મળશે. ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં પણ મોદી સરકાર સફળ રહી છે. આપણે આભારી હોવુ જોઈએ કે કમસે કમ પીએમ મોદીના કેલિબરનો એક રાષ્ટ્રીય નેતા છે જે ભારતમાં સુધાર કરવામાં રસ દાખવે છે.

ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કરી પીએમ મોદીની પ્રશંસા
ઈટી નાઉ સાથે વાત કરતા નારાયણ મૂર્તિને કહ્યુ કે ગયા 5 વર્ષના કાર્યકાળને જોઈએ તો મને લાગે છે કે દેશમાં એક એવો નેતા છે જેનુ ફોકસ અનુશાસન, સ્વચ્છતા અને આર્થિક પ્રગતિ પર કેન્દ્રિત છે કે જે એક સારી વાત છે. સરકારની નિરંતરતા દેશ માટે સારી વાત રહેશે. મૂર્તિએ મોદી સરકાર દરમિયાન ઈકોનોમી માટે કરવામાં આવેલા રિફોર્મ્સની પણ ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે જીએસટીથી દેશની ઈકોનોમીને ગતિ મળી છે. કેન્દ્રીય સ્તરે ભ્રષ્ટાચારમાં ઘટાડો લાવવા માટે પણ તેમણે મોદી સરકારની પ્રશંસા કરી. જો કે જ્યારે તેમને રાફેલ ડીલ અંગે સવાલ કરવામાં આવ્યા તો તેમણે આના પર ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો.
પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું કર્યુ સમર્થન
ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી એક મજબૂત આર્થિક પ્રગતિવાળી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. જીએસટી કે ઈન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ લાગુ કરવાની રીત પર મૂર્તિએ કહ્યુ કે અમુક બાબતોમાં કેટલીક ખામીઓ જરૂર જણાઈ છે પરંતુ દરેક વસ્તુ માટે પ્રધાનમંત્રીને જવાબદાર ન ગણી શકાય. આ અમલદારશાહીનું કામ છે. આ પીએમ મોદીનું કામ નથી કે તે દરેક ગામમાં જાય અને તેને સાફ રાખે. આ સમસ્યા ભારતીય માનસિકતા સાથે છે. આપણે ઉદાસ અને અનુશાસનહીન છીએ. આપણે આર્થિક પરિવર્તન મેળવતા પહેલા સાંસ્કૃતિક પરિવર્તનની તત્કાળ આવશ્યકતા છે.
આરબીઆઈ અને સરકાર વચ્ચે વિવાદ પર શું બોલ્યા મૂર્તિ
કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલા મતભેદ પર નારાયણ મૂર્તિએ આશા કરી કે બંને પક્ષો અમુક સમજૂતીઓ સાથે આગળ વધશે. આપણે એ બધુ જ સુનિશ્ચિત કરવુ ખૂબ જરૂરી છે જેનાથી બધી સંસ્થાઓ મજબૂત બને. તેમણે કહ્યુ કે આરબીઆઈ વિ. સરકારની પ્રાથમિકતાઓમાં વિવાદ ઘણા દેશોમાં જોવા મળ્યા છે. આમાં કંઈ નવુ નથી. મને લાગે છે કે બંને પક્ષો કોઈ પ્રકારના સમાધાન માટે આગળ આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
