આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 15 જુલાઈ સુધી ચાલુ રહેશે પ્રતિબંધ
દેશમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે બધી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર 15 જુલાઈ સુધી પ્રતિબંધ લંબાવી દીધો છે.
દેશમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે બધી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર 15 જુલાઈ સુધી પ્રતિબંધ લંબાવી દીધો છે. જો કે આ દરમિયાન ડોમેસ્ટીક એર સર્વિસ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 25 માર્ચે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. ત્યારથી જ દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ બંધ છે.
ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન તરફથી જારી લેટેસ્ટ આદેશ મુજબ કૉમર્શિયલ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પ્રતિબંધ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે. જો કે ડીજીસીએ કહ્યુ છે કે સ્થિતિઓ અનુસાર અમુક માર્ગો પર અમુક આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓના સંચાલનની મંજૂરી આપવામાં આવી શકે છે. આ પ્રતિબંધ કાર્ગો ઑપરેશન(માલવાહક) અને ડીજીસીઓ(નાગર વિમાનન મહાનિર્દેશાલય) પાસેથી મંજૂરી પ્રાપ્ત ઉડાનો પર લાગુ નહિ થાય.
દિલ્લીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આપી કોરોનાને મ્હાત, હોસ્પિલમાંથી મળી રજા