શ્રીનગરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 23 ઓક્ટોબરથી શરૂ થશે
કાશ્મીરમાં ફરી એક વખત ફ્લાઇટ સામાન્ય થવા જઈ રહી છે. કાશ્મીરના વિભાગીય કમિશનર કે. પોલે સોમવારના રોજ અધિકારીઓ સાથે શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ફ્લાઇટ શરૂ કરવા અંગે બેઠક યોજી હતી.
શ્રીનગર : કાશ્મીરમાં ફરી એક વખત ફ્લાઇટ સામાન્ય થવા જઈ રહી છે. કાશ્મીરના વિભાગીય કમિશનર કે. પોલે સોમવારના રોજ અધિકારીઓ સાથે શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ફ્લાઇટ શરૂ કરવા અંગે બેઠક યોજી હતી. આ દરમિયાન એરપોર્ટ પર જરૂરી વ્યવસ્થાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સલામત વાતાવરણમાં ફ્લાઇટ શરૂ કરી શકાય. જે બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 23 ઓક્ટોબરથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિમાનનું સંચાલન ફરી શરૂ કરવા માટેનો લેઆઉટ પ્લાન રજૂ કર્યો
આ બેઠકમાં બડગાંવના નાયબ કમિશનર, એરપોર્ટ ઓથોરિટી શ્રીનગરના ડિરેક્ટર, નાગરિક ઉડ્ડયન શ્રીનગરના પ્રાદેશિક નિયામક, શ્રીનગર એરપોર્ટ CISF નાકમાન્ડન્ટ, કાશ્મીરમાં આરોગ્ય સેવાઓના નિયામક, બડગાંવના CMO, શ્રીનગરના CMO અને એરપોર્ટના ડો. ગઝાલાએ હાજરી આપી હતી. આ પ્રસંગે એરપોર્ટઓથોરિટીના ડિરેક્ટરે વિમાનનું સંચાલન ફરી શરૂ કરવા માટેનો લેઆઉટ પ્લાન રજૂ કર્યો હતો. રોગચાળાને લગતી તમામ જરૂરી સાવચેતીઓ લઈને વિમાનનું સંચાલનકેવી રીતે ફરી શરૂ કરી શકાય તે જણાવવામાં આવ્યું હતું.
મુસાફરોનો ઝડપી પીસીઆર એરપોર્ટ પર જ થવો જોઈએ
એરપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી કે, આંતરરાષ્ટ્રીય વિમાનમાંથી આવતા મુસાફરો અને ડોમેસ્ટીક ફ્લાઇટથી આવતા મુસાફરોને કેવી રીતે અલગ કરવા અનેકોરોનાને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવી જોઈએ. આ દરમિયાન વિભાગીય કમિશનરે નિર્દેશ આપ્યો હતો કે, મુસાફરોનું સંચાલન કરવા માટે કડક વ્યવસ્થાકરવી જોઈએ, આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ફ્લાઈટથી આવતા મુસાફરોને અલગ રાખવા જોઈએ, મુસાફરોનો ઝડપી પીસીઆર એરપોર્ટ પર જ થવો જોઈએ.
પ્રવાસી સ્વાગત કેન્દ્ર સ્થાપવાનો નિર્દેશ
આ સાથે વિભાગીય કમિશનરે શ્રીનગરના CMO ને એરપોર્ટ પર પ્રવાસી સ્વાગત કેન્દ્ર સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં RT-PCR પરીક્ષણો કરવાની સુવિધાઉપલબ્ધ હોય.