International Volunteer Day 2019: જેમની ભાગીદારીથી દરેક કામમાં મળે છે સફળતા
આજે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ છે. આ દિવસ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધા સ્તરે પરિવર્તન કરવામાં લોકોની ભાગીદારીના સમ્માન રૂપે મનાવવામાં આવે છે.
આજે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ છે. આ દિવસ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધા સ્તરે પરિવર્તન કરવામાં લોકોની ભાગીદારીના સમ્માન રૂપે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 17 ડિસેમ્બર 1985ના પ્રસ્તાવ દ્વારા પાસ કરવામાં આવ્યો કે 5 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય વોલન્ટિયર દિવસ તરીકે મનાવવામાં આવશે.
જન-જાગૃતિ ફેલાવવી
આ પ્રસંગે જન-જાગૃતિ ફેલાવવા માટે કૉન્ફરન્સ, સેમિનાર, પ્રદર્શન, સ્વચ્છતા અભિયાન, મોર્નિંગ વગેરે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ પ્રસંગ સામુદાયિક સ્તરે સ્વયંસેવકોની વધતી ભાગીદારીને રેખાંકિત કરે છે. દુનિયાના બધા દેશોના સ્વયંસેવકોના યોગદાન વિશે યાદ અપાવવામાં આવે છે.
કોઈ સ્વાર્થ વિના લોકોની મદદ
સ્વયંસેવક એ જ હોય છે જે કોઈ સ્વાર્થ વિના લોકોની મદદ કરે છે. તે કોઈ ઈમરજન્સીની સ્થિતિ કે પછી અન્ય દૂર્ઘટનાઓ સમયે પણ લોકોની મદદ માટે આગળ આવે છે. આ લોકો હોસ્પિટલથી લઈને અનાથાલય સુધી લોકોની મદદ કરે છે. શિક્ષણ પ્રત્યે અને આરોગ્ય પ્રત્યે પણ જાગૃતિ ફેલાવે છે.
આ પણ વાંચોઃ કર્ણાટક પેટાચૂંટણીઃ 15 સીટો માટે ચાલી રહ્યુ છે મતદાન, ભાજપે 6 સીટ જીતવી જરૂરી
આ વખતની થીમ
આ વખતે આ ખાસ દિવસની થીમ સમાવેશી ભવિષ્ય માટે સ્વયંસેવક રાખવામાં આવી છે. જે સ્વયંસેવકોના સતત વિકાસમાં યોગદાન દર્શાવે છે. આનો ઉદ્દેશ દેશોની અંદર અને વચ્ચે અસમાનતા ઘટાડવાનો છે. સ્વયંસેવા એ લોકો માટે હોય છે જેમને હંમેશા બહાર રાખવામાં આવે છે. આ લોકો પોતાના સમય અને કૌશલ્યથી સ્વયંસેવા કરીને પોતાના સમાજમાં રચનાત્મક ભૂમિકા નિભાવે છે.