Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBIએ અમિત શાહને આપી ક્લીન ચિટ

નવી દિલ્હી, 7 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખાસ માનવામાં આવતાં અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ક્લીન મળી ગઇ છે. અમિત શાહને ક્લીન ચિટ કેન્દ્રિય તપાસ એજન્સી એટલે કે સીબીઆઇએ આપી છે. સીબીઆઇએ કહ્યું કે અમિત શાહ વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. સીબીઆઇએ આ મુદ્દે સ્પેશિયલ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે.

સીબીઆઇએ ગત વર્ષે પોતાની પૂરક ચાર્જશીટમાં અમિત શાહને આરોપી બનાવી ક્લીન ચિટ આપી દિધી હતી. ત્યારબાદ એક મૃતક જાવેદના પિતાના વકીલે કોર્ટ પાસે માંગ કરી હતી કે અમિત શાહને આરોપી બનાવવા જોઇએ, જેની સુનાવણી દરમિયાન સીબીઆઇએ ફરી કોર્ટમાં પોતાની વાત પુનરાવર્તિત કરી અમિત શાહ વિરૂદ્ધ આ કેસમાં પુરાવા નથી.

આને સત્યની જીત ગણાવતાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ભાજપના પ્રવક્તા નિર્મલા સીતારમને કહ્યું 'અમને પહેલાંથી જ ખબર હતી કે અમિત ભાઇ ઉપર કંઇ પણ આરોપ સાબિત નહી થાય. તેમને ક્લીન ચિટ મળવી સ્વભાવિક છે.

એકવાત સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે સીબીઆઇનો દુરૂયોગ કર્યો અને ગત 5-6 વર્ષોમાં અમિત શાહને હેરાન કરવા માટે તેનો ઉપયોગ કર્યો. કેન્દ્ર સરકારનો પર્દાફાશ થઇ ચૂક્યો છે. તેનો હેતુ બસ નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓને નિશાન બનાવવનો હતો. હવે સીબીઆઇ અને સરકારને સ્પષ્ટતા આપવી જોઇએ.'

amit-shah.

આ એન્કાઉન્ટર ગુજરાતના અમદાવાદમાં થયું હતું જેમાં ઇશરત જહાં સહિત 4 લોકોના મોત નિપજ્યાં હતા. 15 જૂન 2004ના થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કાંડમાં મૃત્યું પામેલા ચાર લોકોમાં પ્રણેશ પિલ્લૈનો પણ સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X