ઈશરત જહાં એનકાઉન્ટરઃ ડીજી વણઝારા અને એન કે અમીનને વિશેષ CBI કોર્ટે કર્યા આરોપ મુક્ત
ઈશરત જહાંના કથિત નકલી એનકાઉન્ટર કેસમાં પૂર્વ પોલિસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન કે અમીનની આરોપ મુક્ત કરવાની અરજીને સીબીઆઈ અદાલતે સ્વીકારી લીધી છે.
ઈશરત જહાંના કથિત નકલી એનકાઉન્ટર કેસમાં પૂર્વ પોલિસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન કે અમીનની આરોપ મુક્ત કરવાની અરજીને સીબીઆઈ અદાલતે સ્વીકારી લીધી છે. વિશેષ સીબીઆઈ અદાલતમાં રિટાયર્ડ પોલિસ ઓફિસરો ડી જી વણઝારા અને એન કે અમીને પોતાની સામે સુનાવણી બંધ કરવાની અપીલ કરવાની અપીલ કરી હતી. આ કેસમાં અદાલતે 16 એપ્રિલના રોજ સુનાવણી પૂરી કરી લીધી હતી.

ઈશરત જહાંના કથિત નકલી એનકાઉન્ટર કેસમાં સેવા નિવૃત્ત અધીક્ષક એન કે અમીન આ કેસમાં સહ આરોપી હતી. બંને પૂર્વ અધિકારીઓએ અદાલતમાં અનુરોધ કર્યો હતો કે ગુજરાત સરકારે તેમની સામે કાર્યવાહી ચલાવવાની સીબીઆઈને મંજૂરી નથી આપી જે સીઆરપીસીની કલમ 197 હેઠળ જરૂરી હોય છે. માટે તેમની સામે આ કેસની સુનાવણી બંધ કરવામાં આવી શકે છે. વળી, આ કેસમાં કૌસરની અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે સીઆરપીસીની કલમ 197 હેઠળ લોકસેવક પર કાર્યવાહીની મંજૂરીની જરૂર હોય છે.
Ahmedabad: Special CBI Court of Justice JK Pandya accepts the applications of retired police officers DG Vanzara and NK Amin seeking dropping of proceedings against them in Ishrat Jahan fake encounter. The court had concluded hearing in the case on April 16.
— ANI (@ANI) 2 May 2019
આ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે આ અપહરણ, કેદ કરવા અને હત્યાનો કેસ છે એટલા માટે આ કેસમાં લાગુ નથી થતો. ગુજરાતના અમદાવાદમાં 15 જૂન, 2004ના રોજ ઈશરત જહાં અને ત્રણ બીજા લોકોને અમદાવાદમાં એક એનકાઉન્ટરમા મારી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલિસે દાવો કર્યો હતો કે ઈશરત જહાં અને એનકાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય લોકોના આતંકવાદી સાથે સંબંધ હતા.
સપ્ટેમ્બર 2009માં અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ એનકાઉન્ટરને નકલી ગણાવ્યુ હતુ. ત્યારબાદ આ કેસ સીબીઆઈ પાસે જતો રહ્યો હતો. સીબીઆઈએ પણ કેસના નલી હોવાની વાત કહી હતી. સીબીઆઈ મુજબ માર્યા ગયા પહેલા આ લોકો પોલિસ કસ્ટડીમાં હતા અને આ એનકાઉન્ટર સંપૂર્ણપણે નકલી રીતે કરવામાં આવ્યુ.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
