શપથ ગ્રહણમાં છવાયેલા રહ્યાં ‘ઇશ્વર’ અને ‘હિન્દી’
નવી દિલ્હી (વિવેક શુક્લ): કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના પહેલા કેબિનેટ વિસ્તારમાં ‘ઇશ્વર' અને ‘હિન્દી' છવાયેલા રહ્યાં. આજે કુલ 21 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. જેમાં ચૌધરી વિરેન્દ્ર સિંહને છોડીને તમામે ઇશ્વરના નામ પર મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિરેન્દ્ર સિંહે સત્ય નિષ્ઠાના નામ પર શપથ ગ્રહણ કર્યા.

સાફો પહેરીને આવ્યા રાજ્યવર્ધન
સાજસ્થાનથી સાંવર લાલ જાટ અને કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે શપથ રાજસ્થાની સાફા પહેરીને લીધા. કેબિનેટમાં ડો. મહેશ શર્મા અને ડો. રામ શંકર કઠેરિયાના રૂપમાં વ્યવસાયિક પણ આવ્યા. જેમકે રાજીવ પ્રતાપ રુડી વ્યવસાયે પાયલોટ છે. તેમને રાજ્ય મંત્રી(સ્વતંત્ર પ્રભાર) આપવામાં આવ્યો છે.
કેબિનેટના બીજા મુસ્લિમ ચહેરા મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ ઇશવરના નામ પર શપથ લીધા. સાધ્વી નિરંજન જ્યોતિને કેબિનેટમાં સ્થાન મળ્યું. આ સાથે જ કેબિનેટમાં તે બીજા સાધવી થઇ ગયા. આ પહેલા ઉમા ભારતી પણ એક સાધવી છે.
આ કેબિનેટ વિસ્તારમાં દલ બદલુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. વિરેન્દ્ર સિંહ ઉપરાંત રામ કૃપાલ સિંહને પણ સ્થાન મળ્યું. તે લોકસભા ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને છોડીને ભાજપમાં સામેલ થયા હતા. આ વચ્ચે, કેટલાક જાણકારોનું કહેવું છેકે મોદી દિલ્હીમાંથી વધુ એકાદ બે સાંસદોને મંત્રી પદ આપી શકે છે, કારણ કે અહીં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
મુખ્તાર અબ્બાસ નકવીને હળવાશમાં કેમ લેવામાં આવ્યા
આ વચ્ચે, કેબિનેટ વિસ્તાર પર વરિષ્ઠ પત્રકાર શંભૂનાથ શુક્લે કહ્યું કે મંત્રીમંડળના વિસ્તાર પર દરેક વડાપ્રધાનનો પોતાનો અધિકાર હોય છે અને એ પણ તે કોને કયું મંત્રાલય સોંપે છે. મુખ્તાર અબ્બાસ નકવીને હલકામાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા. તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે અટલ બિહારી વાજપાયીના નેતૃત્વવાળી એનડીએ વનની સરકારમાં તેઓ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ભાજપના દરેક સંકટમાં તે કામે આવ્યા અને તેઓ પાર્ટીનો એકલો ભણેલો ગણેલો મહત્વનો લધુમતિ ચહેરો છે.
તેનાથી અલગ રાજીવ પ્રતાપ રુડીની છબી સ્વચ્છ તો કહીં શકાય નહીં. પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેવામાં તમામ જે મંત્રી બન્યા છે, તેમને અનાડી કહીં શકાય છે. આ તુલનામાં નકવી અનુભવી તથા પરિપક્વ નેતા છે. પરંતુ શું કરી શકાય જ્યારે બધુ જ કાંચુ નિકળે. વિપરીત બુદ્ધિવાલાઓની આવી જ હાલત થાય છે. નકવીએ વિરોધ નોંધાવવો જોઇએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
