દિલ્હીના કચરા પર સુપ્રીમકોર્ટે એલજી ને ફટકાર લગાવી
સુપ્રીમકોર્ટે દિલ્હીમાં કચરા મામલે દિલ્હીના એલજી અનિલ બેજલને ફટકાર લગાવી છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એલજી ઓફિસે દિલ્હીમાં કચરાના સ્થાનાંતર માટે યોગ્ય પગલાં ભર્યા નથી.
સુપ્રીમકોર્ટે દિલ્હીમાં કચરા મામલે દિલ્હીના એલજી અનિલ બેજલને ફટકાર લગાવી છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એલજી ઓફિસે દિલ્હીમાં કચરાના સ્થાનાંતર માટે યોગ્ય પગલાં ભર્યા નથી. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં કચરાને મેનેજ કરવા માટે પ્રભાવી પગલાં લેવામાં આવ્યા નથી. દિલ્હીના એલજી અનિલ બેજલને કોર્ટને જણાવ્યું કે કચરાનું સ્થાનાંતર કરવાની જવાબદારી નગર નિગમની છે અને તેઓ તેમના પર નજર રાખવા માટે ઇન્ચાર્જ છે.

સુપ્રીમકોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન એલજી કાર્યાલયથી કોઈ પણ આવ્યું ના હતું. આ જાણીને જજો ઘ્વારા એલજીને કહેવામાં આવ્યું કે 'તમે કહો છો કે મારી પાસે પાવર છે, હું સુપરમેન છું', પરંતુ તમે કઈ જ કરતા નથી. અદાલતે એલજીને કચરો ઉપાડનારના આઈડી કાર્ડ આપવા અને બપોરે બે વાગ્યા સુધી અપડેટ આપવાનો આદેશ આપ્યો.












Click it and Unblock the Notifications
