આર્ટિકલ 370ને સ્થાયી માની લેવી યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટ
Article 370: સુપ્રીમ કોર્ટે કલમ 370ને લઈને મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કલમ 370 વિશે એવું ન કહી શકાય કે તે બંધારણમાં કાયમી છે. વાસ્તવમાં 2019માં, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે જો આપણે 1957 અને 2019 વચ્ચેના બંધારણીય આદેશો પર નજર કરીએ તો ખબર પડે છે કે કલમ 370 અમલમાં હતી પરંતુ તે જ સમયે રાષ્ટ્રપતિને અધિકાર હતો કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તેને નાબૂદ કરી શકે.

તેમણે કહ્યુ કે જો અમુક શરતો પૂરી થાય તો તેનું અસ્તિત્વ સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે. જસ્ટિસ કિશન કૌલ, સંજીવ ખન્ના, ભૂષણ આર. ગવઈ અને સૂર્યકાંતની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે 1957માં જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાના વિસર્જન પછી કલમ 370 એકલા રદ કરી શકાતી નથી, જ્યારે તેના કેટલાક ભાગોને 62 વર્ષ સુધી સક્રિય રહ્યા.
આ અરજી રિફત આરા ભટ વતી દાખલ કરવામાં આવી હતી. રિફત આરા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેને સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે જો કલમ 370 એ તેનો હેતુ પૂરો કર્યો હોય તો બંધારણીય આદેશ જાહેર કરવાની જરૂર કેમ પડતી.












Click it and Unblock the Notifications
