Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિન-કોંગ્રેસી નેતા ત્રીજીવાર વડાપ્રધાન બન્યા તે સહન નથી થઈ રહ્યું - PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે NDA સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને NDA સાંસદોને સંસદીય નિયમો અને સંસદીય આચારનું પાલન કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ બિનકોંગ્રેસી નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બને તે સહન કરી શકે તેમ નથી.

કોંગ્રેસ સિવાયના વડાપ્રધાનોના યોગદાનની અવગણના કરવામાં આવી - NDA સાંસદોની બેઠકને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષો નારાજ છે કે, પહેલીવાર કોઈ બિન-કોંગ્રેસી નેતા, તે પણ ચા વાળો સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે.

નેહરુ-ગાંધી પરિવાર પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો વડાપ્રધાન હતા અને તેમના વર્તુળની બહારના લોકોને બહુ ઓછી ઓળખ આપતા હતા.

જ્યારે કોંગ્રેસના સૌથી અગ્રણી પરિવારોમાંથી બહારથી આવેલા વડાપ્રધાનોના યોગદાનની અવગણના કરવામાં આવી હતી, ત્યારે વડાપ્રધાન તરીકે તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે, તે બધાને ઓળખવામાં આવે. કારણ કે, દરેકે કોઈને કોઈ રીતે દેશ માટે યોગદાન આપ્યું છે.

PM modi

NDA એ રાહુલ ગાંધીના ભાષણને સૌથી બેજવાબદાર ગણાવ્યું - NDA સાંસદોની બેઠકને સંબોધતા વડાપ્રધાન મોદીએ NDA સાંસદોને વરિષ્ઠ સભ્યો પાસેથી સંસદની શ્રેષ્ઠ પ્રથાઓ વિશે જાણવાની અપીલ કરી હતી. PM મોદીની આ અપીલ સોમવારે લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પછી આવી છે, જેને NDAએ સૌથી બેજવાબદાર ભાષણ ગણાવ્યું છે.

બેઠક બાદ પત્રકારોને સંબોધતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સાંસદોને સંસદીય મુદ્દાઓનો અભ્યાસ કરવા, સંસદમાં નિયમિતપણે હાજરી આપવા અને તેમના મતવિસ્તાર સંબંધિત મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવા જણાવ્યું હતું.

વડાપ્રધાન બોલે છે ત્યારે સંદેશ બધા માટે છે - જ્યારે કિરેન રિજિજુને પૂછવામાં આવ્યું કે, શું વડાપ્રધાન મોદીએ સોમવારે લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો? તો આના પર રિજિજુએ કહ્યું કે, તેમણે એવું કંઈ કહ્યું નથી, પરંતુ જ્યારે દેશના વડાપ્રધાન બોલે છે ત્યારે સંદેશ દરેક માટે હોય છે.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા, અને સત્તાધારી પક્ષના નેતાઓ પર લોકોને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આનો શાસક પક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, વડાપ્રધાન મોદીએ સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવા માટે કોંગ્રેસના નેતા પર પ્રહારો કર્યા હતા.

રિજિજુએ કહ્યું કે, જોડાણની બેઠકમાં એનડીએના નેતાઓએ મોદીને તેમના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને સાંસદોને મીડિયા સમક્ષ ટિપ્પણી કરતાં પહેલાં કોઈપણ મુદ્દાનો અભ્યાસ કરવા કહ્યું કે, તેઓએ તેમના મતવિસ્તારોના સંપર્કમાં રહેવું જોઈએ અને તેમના સમર્થન માટે મતદારોનો આભાર માનવો જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X