એ મોદી નથી, એ પાગલ મોદી છે, લોકો તેને પાગલ કહે છે-અધિર રંજન ચૌધરી
કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી મનફાવે તેના નિર્ણયો લઈને લોકોને પરેશાન કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત લોકોને પરેશાન કરતો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે 2 હજારની નોટ પાછી ખેંચતા તે હવે વિપક્ષના નિશાને છે.
હાલમાં જ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરાઈ છે. હવે આ નિર્ણયને લઈને વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાનના ગમે તેવા નિર્ણય માટે પાગલ ગણાવ્યા છે.

અધીર રંજન ચૌધરીને બંગાળના મુર્શિદાબાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન 2000 રૂપિયાની નોટ અંગે પ્રશ્ન કરાયો હતો. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તે મોદી નથી, પાગલ મોદી છે. લોકો તેમને પાગલ મોદી કહે છે.
બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. આના પર પણ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંને પક્ષોનો ઉદ્દેશ્ય કોંગ્રેસને ખતમ કરવાનો છે, જેથી તેઓ પોતે આગળ વધી શકે.
અહીં અધીર રંજન ચૌધરીએ બીજેપી સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યુું કે, ટીએમસીના નેતાઓ ક્યારેય બીજેપી વિરુદ્ધ બોલતા નથી. કેજરીવાલ અને ટીએમસીના સારા સંબંધ છે પરંતુ તે બીજેપી સામે લડવા માંગતા નથી.
અહીં અધીર રંજન ચૌધરીએ હિન્દુત્વને લઈને પણ પ્રહારો કર્યા અને કહ્યું કે, એક તરફ બીજેપીનું ચૂંટણી ચિન્હ ભગવાન રામ છે તો બીજી તરફ કેજરીવાલનું શ્રી હનુમાન. હિન્દુત્વની આ હરીફાઈમાં મમતા બેનર્જી પણ સામેલ છે. તે દુર્ગા પૂજા માટે 50 હજાર રૂપિયા આપે છે. ત્રણેય સૌથી મોટો હિંદુ કોણ છે તે સાબિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્રણેય વચ્ચે ગરમા-ગરમ ઠંડા સંબંધો છે અને તેમનો ઉદ્દેશ્ય કોંગ્રેસને હટાવવાનો છે.
જો કે આ પહેલી વખત નથી જ્યારે અધીર રંજન ચૌધરીએ પ્રહારો કર્યા હોય, આ પહેલા પણ તે આવા પ્રહાર કરી ચુક્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઘુષણખોર છે. તે ખુદ ગુજરાતથી દિલ્હી આવ્યા છે. ભારત બધા માટે છે પરંતુ બન્ને મુસ્લિમોમાં ડર પેદા કરી રહ્યા કે તેમને બહાર ફેંકી દેવાશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
