વટહુકમ પાછો ખેંચવાનો શ્રેય પ્રણવદાને, રાહુલને નહીં: અડવાણી
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે કલંકિત નેતાઓને બચાવતા વિવાદીત વટહુકમને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ વિવિધ વિપક્ષીદળો અને ખુદ કોંગ્રેસી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના પર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે નાટકીય ઢબે આ વટહુકમને પરત લેવાયો અને આખા દેશમાં રાહુલની વાહવાહી થઇ અને વડાપ્રધાન મનમોહન સિંહની ફજેતી. પરંતુ આ વિશે અડવાણીનું કંઇક અલગ જ મંતવ્ય છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ વિવાદીત વટહુકમને પરત લેવાનો સંપૂર્ણ શ્રેય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપે છે. લાલકૃષ્ણ અડવાણીએ તેમના બ્લોગ પર આ વિશે લખ્યું છે કે 'વટહુકમ પાછો ખેંચવાનો શ્રેય પ્રણવદાને જાય છે, રાહુલ ગાંધીને નહીં.'
અડવાણી પોતાના બ્લોગ પર લખ્યુ છે કે 'આ વટહુકમના વિરોધ માટે અમારી પાર્ટીના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા માટે ગયા હતા. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી અમારી મુલાકાતમાં અમે રાષ્ટ્રપતિને સમજાવી લીધા હતા કે આ કાયદો ખોટો છે અને તેનાંથી કલંકિત નેતાઓ બચી જશે, એવું થવું જોઇએ નહીં. અને તેઓ માની પણ ગયા હતા.'
અડવાણીએ સોનિયા ગાંધી પર સીધો પ્રહાર કરતા બ્લોગમાં લખ્યું છે કે 'સોનિયાને એ વાતની ખબર પડી ગઇ હતી કે રાષ્ટ્રપતિ તરફથી વટહુકમનો ડ્રાફ્ટ મંજૂરી વગર જ પરત ફરશે. અને એવું થશે તો તેમની સરકારની વધારે ફજેતી થશે. એટલા માટે તેમણે રાહુલ ગાંધીને વિરોધ કરવા માટે મેદાનમાં ઉતાર્યા. પરંતુ તેમણે રાહુલને એવું ના શીખવાડ્યું કે તેમણે કેવીરીતે કરવાનું છે. જેના કારણે રાહુલે વટહુકમનો વિરોધ એવી રીતે કર્યો જેના કારણે તેમની પાર્ટીની અને વડાપ્રધાનની વધારે ફજેતી થઇ ગઇ.'
આ કારણના લીધે અડવાણી વટહુકમ પરત ખેંચાવાનો શ્રેય રાષ્ટ્રપતિને આપે છે. પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર લખેલા આ આર્ટિકલમાં ક્યાંય ભાજપના વિરોધને પણ શ્રેય આપ્યો નથી, જે એક પ્રશ્ન છે. કારણ કે બીજેપી નેતાઓએ રાષ્ટ્રપતિના ગળે એ વાત ઉતારી હતી કે આ વટહુકમ દેશહિતમાં નથી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
