J&K: 24 કલાકમાં ચોથું એન્કાઉન્ટર, શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ!
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુલરાન, ઇમામસાહિબ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે.
શ્રીનગર, 11 ઓક્ટોબર : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુલરાન, ઇમામસાહિબ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે. માહિતી અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી, સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે અન્ય એક એન્કાઉન્ટરમાં આર્મીના જેસીઓ સહિત 5 જવાનો શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, શોપિયાંમાં આજે સાંજે બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તુલરાનમાં 3-4 આતંકીઓ ફસાયા છે. ખેરીપુરામાં વધુ એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોને શોપિયાં જિલ્લાના તુલરાન ઇમામસાહેબ વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સુરક્ષા દળોની ઘેરાબંધી જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું. સેના તરફથી કાઉન્ટર ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ચોથી અથડામણ છે. ઇમામસાહિબ વિસ્તારમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી છે. પોલીસે આતંકવાદીઓને કહ્યું કે, આજે પૂંછ જિલ્લામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા છે. આ ઘટનાને લઈને સુરક્ષાદળોમાં રોષ છે. પરંતુ તે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની સંપૂર્ણ તક આપવા માંગે છે. આનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી છે.
થોડા કલાકો પહેલા પૂંછ જિલ્લાના સૂરનકોટ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સોમવારે આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન જુનિયર કમિશ્ડ ઓફિસર સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા તે જગ્યાથી 2 કિમીના અંતરે એન્કાઉન્ટર થઈ રહ્યું છે. આતંકીઓ સાથે એન્કાઉન્ટર હજુ ચાલુ છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી હુમલા વધ્યા છે.