Jagannath Rath Yatra: પીએમ મોદીએ ભગવાન જગન્નાથ માટે મોકલી ભોગ સામગ્રી, દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પુરીમાં 9 દિવસીય અને અમદાવાદમાં એક દિવસીય જગન્નાથ યાત્રાનો પ્રારંભ આજે શનિવારથી થઈ ચૂક્યો છે. અમદાવાદમાં સવારની આરતીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાર શામેલ થયા.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પુરીમાં 9 દિવસીય અને અમદાવાદમાં એક દિવસીય જગન્નાથ યાત્રાનો પ્રારંભ આજે શનિવારથી થઈ ચૂક્યો છે. અમદાવાદમાં સવારની આરતીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ શામેલ થયા.
પારંપરિક નૈવેધ સામગ્રી મોકલી
વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક જગન્નાથ યાત્રાના શુભ અવસર પર ટ્વિટર દ્વારા દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા. જ્યારે પીએમ મોદીએ પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ માટે પારંપરિક નૈવેધ સામગ્રી મોકલી છે. મંદિરના પ્રમુખ પુરોહિત દિલીપદાસજી મહારાજે આની જાણકારી આપી.
|
અંકુરિત મગ, જાંબુ, દાડમ અને કેરી મોકલી
મંદિરના પ્રમુખ પુરોહિત દિલીપદાસજીએ જણાવ્યુ કે પીએમ મોદીએ હંમેશાની જેમ અંકુરિત મગ, જાંબુ, દાડમ અને કેરી મોકલી છે. આનાથી ભગવાન જગન્નાથને ભોગ ધરાવવામાં આવશે. પીએમ મોદીએ ત્રણે દેવતાઓનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો. તમને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથની યાત્રા અમદાવાદના જમાલપુરથી પણ કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થઈ ચૂકી છે.
10 લાખ લોકો શામેલ
ગુજરાતીમાં ભગવાન જગન્નાથના સમ્માનમાં વાર્ષિક રથયાત્રાઓ વિભિન્ન સ્થળોએથી નીકળે છે. જણાવવામાં આવે છે કે આ પર્વમાં લગભગ 10 લાખ લોકો શામેલ થાય છે. વળી, મંદિર પ્રશાસન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ રથ પર ચડીને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પ્રતિમાઓને સ્પર્શ કરશે તો તે ગુનો ગણવામાં આવશે.