Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? આ નામ ચર્ચામાં?

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈS સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરાયેલા રાજીનામામાં તેમણે બંધારણના અનુચ્છેદ ૬૭ (એ) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડોક્ટરની સલાહનું પાલન કરતા હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપું છું.

Jagdeep Dhankhar

ધનખડનું રાજીનામું સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાની સાથે જ આવ્યું છે. તેમના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ અને રાજ્યસભાનુ અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ ચૂંટણીની શક્યતા છે.

૭૪ વર્ષીય જગદીપ ધનખડે ૨૦૨૨ માં ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો હતો, પરંતુ તેમણે કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ પહેલા જ રાજીનામું આપી દીધું છે.

ધનખડના રાજીનામા સાથે, ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું છે, જે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરે છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીમાં ભારતીય જનતા પાર્ટી એક મોટો રાજકીય દાવ રમી શકે છે.

ભાજપના નેતૃત્વ હેઠળની NDA સરકાર પાસે ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે પૂરતો બહુમત છે. આ સ્થિતિમાં વે સૌની નજર એ વાત પર ટકેલી છે કે ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ પર કોનું નામ પ્રસ્તાવિત કરશે. ધનખડના રાજીનામા બાદ ઘણી અટકળો ચાલી રહી છે.

મીડિયામાં પાર્ટી સૂત્રોના હવાલાથી આવેલા સમાચારો અનુસાર, નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર જુદા જુદા રાજ્યોના રાજ્યપાલ, સંગઠનના અનુભવી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાના મતે, ભાજપ આ પદ માટે એવા વ્યક્તિની પસંદગી કરશે જે અનુભવી, લોકપ્રિય હોવા ઉપરાંત જેના નામ પર કોઈ વિવાદ ન હોય.

સૂત્રો અનુસાર, વર્ષ ૨૦૨૫ ના અંતમાં બિહારમાં ચૂંટણી યોજાવાની છે, તેથી જનતા દળ (યુનાઈટેડ) ના સાંસદ અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને પણ ઉપરાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

હરિવંશ નારાયણ સિંહ ૨૦૨૦ થી આ પદ પર છે અને તેમને NDA સરકારનો વિશ્વાસ પ્રાપ્ત માનવામાં આવે છે. આ ઉપરાંત, રાજનાથ સિંહ, તમિલસાઈ સુંદરરાજન, સુકાંત મજુમદારના નામ પણ આ પદ માટે ચર્ચાઈ રહ્યા છે, જ્યારે રાજકીય નિષ્ણાતો માને છે કે આ ખુરશી માટે કોઈ ચોંકાવનારું નામ પણ સામે આવી શકે છે કારણ કે ભાજપ આવી રાજનીતિમાં માહેર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X