Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Train Firing: 'એણે પહેલા નામ પૂછ્યુ અને પછી મારી દીધી ગોળી', પીડિત પરિવારોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Jaipur-Mumbai Tran Firing: મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ચાલી રહેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12956)માં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) સહિત ચાર લોકોના મોત થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોમાંથી એક સૈયદ સૈફુદ્દીનના નાના ભાઈ યુનુસ અને કાકા વાજિદ પાશાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

યુનુસે 'ધ ક્વિન્ટ'ને જણાવ્યુ કે 'મારા ભાઈ સૈયદ સૈફુદ્દીનને છ મહિનાની એક નાની બાળકી છે, આખો પરિવાર અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યો છે, અમારા ઘરમાં તે એક જ વ્યક્તિ હતો જે કમાતો હતો. સૈફના કાકા વાજિદ પાશાએ કહ્યું કે 'શૂટરે પહેલા મારા બાળકને તેનું નામ પૂછ્યું અને પછી તેના પર ફાયરિંગ કર્યું'.

train firing

તમને જણાવી દઈએ કે મૃતક સૈયદ સૈફુદ્દીનનો પરિવાર હૈદરાબાદના નામપલ્લી જિલ્લાનો રહેવાસી છે. આ નિવેદન સામે આવ્યા બાદ ધારાસભ્ય જાફર હુસૈને પણ કહ્યું છે કે 'યાત્રીઓ પર હુમલો ધર્મના કારણે થયો છે, તેથી આ મામલાની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.'

તમને જણાવી દઈએ કે 46 વર્ષીય સૈફુદ્દીન હૈદરાબાદના ગુજરાતી ગલી-કોટીમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરતો હતો. તેમને ત્રણ દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી 6 મહિનાની છે.

અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સભ્ય મેરાજે કહ્યું કે 'તેમનો પક્ષ આ "નફરત" સામે ખડેપગે છે અને પીડિતોને ન્યાય અપાવીને રહેશે. દેશમાં એક મુસલમાનની હત્યા કરી દેવામાં આવે છે, આ ક્યાંનો ન્યાય છે?

નોંધપાત્ર વાત એ છે કે, ટ્રેનની અંદર ગોળીબાર કરનાર આરોપી ચેતન કુમાર ચૌધરી એક આરીપીએફ કૉન્સ્ટેબલ છે, જેણે 31 જુલાઈના રોજ સવારે 5 વાગે જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ B5માં પહેલા એએસઆઈ ટીકારામ મીણા પર તેની રાઈફલથી ફાયરિંગ કર્યું હતું. પછી તેણે બીજા કોચમાં જઈને અન્ય ત્રણ મુસાફરો પર ગોળીબાર કર્યો, જેમાં ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા.

પશ્ચિમ રેલવેના ઇન્સ્પેક્ટર જનરલ-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પીસી સિન્હાએ જણાવ્યું હતું કે 'ચેતન ગુસ્સાવાળા સ્વભાવનો અને માનસિક રીતે સ્થિર વ્યક્તિ છે, જે થોડા સમય પહેલા ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર થયો હતો. જેને લઈને તે ખૂબ જ ચિંતિત હતો. પ્રવાસ દરમિયાન ટીકારામ સાથે તેની કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને તેણે ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાં ચાર લોકોના મોત થયા હતા. અમે બંદૂક સાથે તેની ધરપકડ કરી છે. મામલાની તપાસ ચાલી રહી છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X