જામિયા વિવાદઃ વાહનોમાંથી પેટ્રોલ કાઢી મુસાફરોથી ભરેલી બસોમાં આગ લગાવાઈ
દિલ્લીમાં થયેલી હિંસામાં ઘણા ખાનગી વાહનો અને સીએનજી બસોમાં આગ લગાવી દેવામાં આવી. હવે આ હિંસાના નજરે જોનાર સાક્ષીએ આંખોદેખી કહાની જણાવી છે.
નાગરિકતા સુધારા બિલના વિરોધમાં દેશના અમુક ભાગોમાં પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. અસમ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્લીમાં ભારે પ્રદર્શન થઈ રહ્યુ છે. આ દરમિયાન છાત્રો અને પોલિસ વચ્ચે ઝડપ પણ જોવા મળી. દિલ્લીમાં થયેલી હિંસામાં ઘણા ખાનગી વાહનો અને સીએનજી બસોમાં આગ લગાવી દેવામાં આવી. હવે આ હિંસાના નજરે જોનાર સાક્ષીએ આંખોદેખી કહાની જણાવી છે.
બસોમાં આગ લગાવવામાં આવી
નજરે જોનાર સાક્ષીનુ કહેવુ છે કે મુસાફરોથી ભરેલી બસોમાં આગ લગાવવા માટે રસ્તા પર પડેલા ટુવ્હીલરોમાંથી પેટ્રોલ કાઢવામાં આવ્યુ હતુ. આ દરમિયાન લોકોની ભીડ નવા નાગરિકતા કાયદાનો વિરોધ કરતી દેખાઈ જેમાં પોલિસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ પણ થઈ ગઈ. હિંસામાં ત્રણ બસોમાં આગ લગાવવામાં આવી. એક ફાયરબ્રિગેડની ગાડીને નુકશાન પહોંચાડવામાં આવ્યુ અને બે ફાયરબ્રિગેડકર્મી પણ ઘાયલ થઈ ગયા. પોલિસે ભીડને નિયંત્રિત કરવામાટે દંડા અને અશ્રુગેસનો ઉપયોગ કર્યો.
પોલિસ પર પત્થરબાજી
આ ઘટનાના ઘણી વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામિયાના છાત્રોએ પોતાને હિંસાથી દૂર રાખ્યા અને દિલ્લી પોલિસના વરિષ્ઠ અધિકારીઓનુ કહેવુ છે કે આ પ્રદર્શનોમાં સ્થાનિક ગુંડાઓ પણ શામેલ થઈ ગયા હતા. જ્યારે આ લોકોને જંતરમંતર તરફ જવાથી રોકવામાં આવ્યા ત્યારે તેમણે વાહનોમાં આગ લગાવી અને પોલિસ પર પત્થરબાજી કરી.
પુરુષોની સંખ્યા 15થી 20 હતી
રવિ નામના સાક્ષીએ જણાવ્યુ કે, ‘અમુક વ્યક્તિઓ ટુવ્હીલરમાંથી પેટ્રોલ કાઢી રહ્યા હતા અને બસોમાં આગ લગાવી રહ્યા હતા, જ્યારે બસની અંદર લોકો હાજર હતા. ખૂબ ડર હતો. એક યુવતી જોર જોરથી રડી રહી હતી.' રવિએ જણાવ્યુ કે, ‘આ વ્યક્તિઓની સંખ્યા 15થી 20 હતી. જ્યારે પોલિસ આવી તો અલગ અલગ દિશાઓમાં જવા લાગ્યા. આમાંથી એકે પોલિસ પર પત્થર ફેંક્યા. મે જોયુ હતુ કે તેમના માથામાંથી લોહી વહી રહ્યુ હતુ.'
કોઈ કેસ નોંધાયો નહિ
જો કે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોના ઘાયલ થવાના સમાચારો આવી રહ્યા છે. પરંતુ પોલિસે હજુ અધિકૃત રીતે ઘાયલોની સંખ્યા જણાવી નથી. હજુ સુધી કોઈ કેસ પણ નોંધવામાં આવ્યો નથી. ઘણા છાત્રોને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા છે.