Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉરીઃ ભારતીય જવાનોએ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહેલા આતંકીને કર્યો ઠાર, એકની ધરપકડ

ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલ એક આતંકવાદીને આપણા સુરક્ષાબળોએ ઠાર મારી દીધો છે.

શ્રીનગરઃ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલ એક આતંકવાદીને આપણા સુરક્ષાબળોએ ઠાર મારી દીધો છે. જ્યારે બીજા આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં બે આતંકવાદીઓ પર સેના દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી હાલમાં 18-19 સપ્ટેમ્બરથી ચાલી રહેલ ઘૂસણખોરીની કોશિશનો હિસ્સો હતો.

army

સૂત્રોએ જણાવ્યુ કે સેના છેલ્લા બે દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં સફળ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે અથડામણમાં અત્યાર સુધી એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે જ્યારે સેના અન્યને શોધી રહી છે. આ દરમિયાન નિયંત્રણ રેખા(એલઓસી) પાસે ઉરી સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન ચાર જવાન ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા. સેનાએ શનિવારે ઉરી સેક્ટરમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિને જોતા ઘૂસણખોર વિરોધી અભિયાન શરૂ કર્યુ.

સૂત્રોનુ કહેવુ છે કે ભારતીય સેના સાથે એક આતંકવાદી અથડામણમાં માર્યો ગયો. વળી, તેના બીજા સાથીએ જીવ બચાવવા માટે ઑપરેશન દરમિયાન સૈનિકો સામે આત્મસમર્પણ કરી દીધુ. અધિકારીઓએ જણાવ્યુ કે છેલ્લા બે દિવસમાં બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં ચાર સૈનિક ઘાયલ થઈ ગયા. વળી, બીજી તરફ કાશ્મીર ઝોન પોલિસે માહિતી આપી કે 50આરઆરની ટીમ સાથે શ્રીનગર પોલિસે પુલવામાથી બે ઓવર-ગ્રાઉન્ડ વર્ક્સની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે આતંકવાદી રિયાઝ સાથરકુંડ(લેફ્ટ. કમાંડર) એ તેને શ્રીનગરના નૌહટ્ટાના રાજોરીકાદલ વિસ્તારમાં છાવણી બનાવવા માટે કહ્યુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X