ભારતના નકશામાં આવી રીતે બદલ્યો જમ્મુ અને કાશ્મીરનો નકશો
ભારતના નકશામાં આવી રીતે બદલ્યો જમ્મુ અને કાશ્મીરનો નકશો
નવી દિલ્હીઃ ભારત સરકારના ઐતિહાસિક ફેસલાથી સાત દશકા બાદ ભારતના નકશામાં જમ્મુ અને કાશ્મીરનો નકશો બદલાઈ ચૂક્યો છે. હવે એક જમ્મુ અને કાશ્મીર રાજ્ય ન રહી બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયાં છે. એક જમ્મુ અને કાશ્મીર તથા બીજું લદ્દાખ. આમાંથી જમ્મુ અને કાશ્મીરમાં તો એક વિધઆનસભા પણ હશે, પરંતુ લદ્દાખમાં કોઈ વિધાનસભા નહિ હોય અને ત્યાંનું પ્રશાસન એક ઉપરાજ્યપાલના હાથોમાં રહેશે. આની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં પણ હવે રાજ્યપાલની જગ્યાએ ઉપરાજ્યપાલની જ તહેનાતી થશે.

જમ્મુ અને કાશ્મીરનો નકશો બદલાઈ ગયો
કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં જે ઐતિહાસિક બિલ રજૂ કર્યું, તેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનું પ્રાવધાન છે. આ રાજ્યને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દામાં વહેંચવાના પ્રસ્તાવ વિશે ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો ફેસલો સીમાપારથી સતત ચાલુ આતંકવાદના ખતરાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
|
આ માટે બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યાં
જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિવાઈડ કરવાનું જે બિલ રાજ્યસભામાં રજૂ થયું છે, તે વિશે ગૃહમંત્રી અમિત શાહે સદનને જણાવ્યું કે લદ્દાખ ડિવિઝનનું ક્ષેત્રફળ બહુ વિશાળ છે, પરંતુ ત્યાંની જન સંખ્યા બહુ ઓછી છે અને ભૂ-ભાગ બહુ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે પોતાની અપેક્ષાઓને પૂરી કરવા માટે લદ્દાખના લોકોને લાંબા સમયથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાની માંગ રહી છે. માટે લદ્દાખમાં કોઈ વિધાનસભા નહિ હોય. જ્યારે ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે હાલના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આંતરિક સુરક્ષાના હાલાત જે સીમાપારથી પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત છે, તેને અલગ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવી રહ્યું છે. અહીં એક વિધાનસભા હશે.

કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાનો મતલબ?
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીધે-સીધું કેન્દ્ર સરકારનું શાસન હોય ચે. ભારતના રાષ્ટ્રપતિ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશના એક પ્રશાસક અથવા ઉપ રાજ્યપાલ નિયુક્ત કરે છે. હાલ દેશમાં અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વિપ તથા પોંડીચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દિલ્હી પણ ટેક્નિકલ રીતે એક કેન્દ્ર શાસિત પ્રદેશ જ છે, જેને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. તાજા ફેસલા બાદ દેશમાં હવે 29 રાજ્યોની જગ્યાએ 28 રાજ્ય થઈ ગયાં અને પહેલાના 7 કેન્દ્ર શાસિત પ્રદેશોની જગ્યાએ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ જશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
