પીએમ મોદી સાથે બેઠક માટે દિલ્હી પહોંચ્યા જમ્મુ-કાશ્મીરના નેતા, એલઓસી પર એલર્ટ જાહેર
પીએમ મોદી સાથે બેઠક માટે દિલ્હી પહોંચ્યા જમ્મુ-કાશ્મીરના નેતા, એલઓસી પર એલર્ટ જાહેર
આવતી કાલે 24 જૂનના રોજ જમ્મુ કાશ્મીરના નેતાઓની પીએમ મોદી સાથે બેઠક મળનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બોલાવવામાં આવેલ બેઠક માટે કાશ્મીરના કેટલાય નેતા આજે દિલ્હી પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીની બેઠક પહેલાં જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જાહેર કરી દેવાયું છે. આની સાથે જ કાશ્મીરાં કાલે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી શકે છે.

મહેબૂબા મુફ્તી અને ભાજપ નેતા દિલ્હી પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં થનાર જમ્મુ-કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે રાજ્યના પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી આજે સાંજે દિલ્હી પહોંચી ગયાં છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિંદર રૈના અને પૂર્વ ડેપ્યૂટી સીએમ કવિંદર ગુપ્તા પણ દિલ્હી આવી ચૂક્યા છે. ફારુક અબ્દુલ્લા અને બીજા નેતાઓ પણ કાલ સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે તેવી ઉમ્મીદ છે.
ગુપકર ગઠબંધને પણ બેઠકમા સામેલ થવાનો ફેસલો લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠક બોલાવી છે. પીએમ નરેન્દ્ર મોદીની આ બેઠકમાં સામેલ થવું કે નહી તેના પર ફેસલો લેવા માટે મંગળવારે ફારુક અબ્દુલ્લાના ઘરે ગુપકર ગઠબંધનના નેતાઓની બેઠક મળી હતી. શ્રીનગરમાં નેશનલ કોન્ફ્રેંસ પ્રમુખ ડૉ ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, સીપીએમ નેતા મોહમ્મદ તારિગામી અને બીજા નેતાઓએ પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય લીધો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
