જમ્મુ કાશ્મીર: તંગધારમાં પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ
ફરી એકવાર, પાકિસ્તાન દ્વારા એક નકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, તેમને આજે સવારે કુપવાડાના તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
ફરી એકવાર, પાકિસ્તાન દ્વારા એક નકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, તેમને આજે સવારે કુપવાડાના તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આમાં બે જવાનો શહીદ થયા છે. આ સિવાય એક નાગરિકનું મોત પણ થયું છે. અહેવાલ મુજબ કંટ્રોલ લાઇન પર વાતાવરણ ખૂબ જ ગરમ છે. પાકિસ્તાન આર્મી તંગધાર, નૌગમ અને કુપવાડામાં સતત ફાયરિંગ કરી રહી છે.
આ સંદર્ભે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની આ નાપાક હરકતનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે અને બદલામાં પાડોશી દેશને ભારે નુકસાન થયું છે અને તેના સૈનિકો પણ માર્યા ગયા છે.
શોપિયાંમાં વધુ એક સફરજન વેપારીની હત્યા
ગત બુધવારે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ વધુ એક સફરજન વેપારીની હત્યા કરી હતી, બુધવારે સાંજે સાડા સાત વાગ્યે આતંકવાદી હુમલામાં એક વેપારીની હત્યા કરી હતી, પોલીસે જણાવ્યું હતું કે આ વખતે આતંકીઓએ પંજાબના સફરજન વેપારીને નિશાન બનાવ્યું છે. આતંકીઓની ગોળીબારમાં બીજો ઉદ્યોગપતિ ઘાયલ થયો હતો.
Indian Army: Indian forces cause heavy damages and casualty to Pakistan after two Indian soldiers and one civilian were killed in ceasefire violation by Pakistan Army in Tangdhar sector (Jammu and Kashmir) today. pic.twitter.com/idATyRLjjH
— ANI (@ANI) October 20, 2019
આ પણ વાંચો: ભારતને ઘેરવા પાકિસ્તાનની નવી ચાલ, 55 km જમીન ચીનને આપી દીધી