જમ્મુ કાશ્મીર: શોપિયાંમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 4 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ચાર પોલીસકર્મીઓ શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ચાર પોલીસકર્મીઓ શહીદ થયા છે. શોપિયાંના અર હામાં વિસ્તારમાં બુધવારે બપોરે એક પોલીસદળ પર આતંકીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવી દીધો. આતંકીઓ ઘ્વારા પોલીસ પાસેથી ત્રણ એકે-47 રાઇફલ છીનવી લેવામાં આવી. પોલીસે આ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને તેની તરફ આવતા બધા જ રસ્તાઓ બ્લોક કરી નાખ્યા છે. આ હુમલાની જવાબદારી જેશ અને હિઝબુલ આતંકી સંગઠને લીધી છે.
જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર આતંકીઓ ઘ્વારા એસ્કોર્ટ પાર્ટી પર ગોળીઓ ચલાવવાની ચાલુ કરી દીધી. આ હુમલામાં ચાર જવાન ગંભીરે રૂપે ઘાયલ થયા, ત્યારપછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમની મૌત થઇ ગયી.
આજે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાને એક મોટી સફળતા મળી છે. સેના ઘ્વારા આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર મારફવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર અનંતનાગના મુનવાઈ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. જાણકારી અનુસાર અહીં 1-2 આતંકીઓ સંતાયા હતા, જેને સેના ઘ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા.