જમ્મુ કાશ્મીરની કાનૂન વ્યવસ્થામાં સુધાર થઇ રહ્યો છે
જમ્મુ કાશ્મીર પોલીસના ડીઆઈજી મુનીર ખાને રાજ્યના કાયદો અને વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
જમ્મુ કાશ્મીર પોલીસના ડીઆઈજી મુનીર ખાને રાજ્યના કાયદો અને વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જમ્મુથી પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે અને શાળાઓ ખુલી રહી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં ચોક્કસપણે કેટલાક પ્રતિબંધો લાગુ છે. જો કે, પ્રતિબંધ હજી ત્યાં સંપૂર્ણ રીતે નથી. આ સાથે તેમણે નાના નાના બનાવો અંગે પણ માહિતી આપી હતી. ડીઆઈજી મુનીર ખાને જણાવ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ નિયંત્રણમાં છે.

ડીઆઈજી મુનીર ખાનના જણાવ્યા અનુસાર શ્રીનગર જિલ્લા અને અન્ય જિલ્લાઓના વિવિધ ભાગોમાં કેટલીક ઘટનાઓ બની છે જેની સ્થાનિક કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ મોટી ઇજાઓ નથી. પેલેટ ગનથી કેટલીક ઇજાઓ થઈ છે જેની સારવાર કરવામાં આવી છે. અમારો પ્રયાસ છે કે કોઈ જાનહાની ન થાય. ડીઆઈજી મુનીર ખાનના જણાવ્યા અનુસાર પોલીસ માટે મોટી સફળતા છે, એક પણ સામાન્ય નાગરિક માર્યો ગયો નથી. તેમણે કહ્યું કે પડોશી દેશો સહિત વિરોધી પક્ષો પ્રચાર દ્વારા હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે વર્ષ 2016 અને 2010 ના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ પોલીસ આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
Muneer Khan: There have been localised incidents in various parts of Srinagar & other districts, which have been contained.There have been no major injuries. There have been a few pellet injuries, they were treated. Our biggest endeavor is that no civil casualty should take place pic.twitter.com/KIAEs0gigG
— ANI (@ANI) August 14, 2019
J&K Addnl Director General of Police,Law&Order,Munir Khan: Law order situation is totally under control. There have been localised incidents in various parts of Srinagar district and other districts, which had been contained&dealt with locally. There have been no major injuries. pic.twitter.com/tSNV1So45S
— ANI (@ANI) August 14, 2019












Click it and Unblock the Notifications
