જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને કર્યુ સિઝફાયરનુ ઉલ્લંઘન
ગુરુવારે સાંજે જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં વિસ્ફોટ થયો હતો. બીએસએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની રેન્જર્સે કોઈપણ ઉશ્કેરણી વિના બીએસએફ પર ફાયરિંગ શરૂ કર્યું. આ ગોળીબાર આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર થયો હતો.
જમ્મુ કાશ્મીર બીએસએફ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. BSFએ જણાવ્યું કે રાત્રે લગભગ 8 વાગે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને ગોળીબાર કરવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદ અહીંથી માત્ર દોઢ કિલોમીટર દૂર છે. પાકિસ્તાને જે રીતે કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના ગોળીબાર શરૂ કર્યો છે તેનાથી સ્થાનિક લોકો ડરી ગયા છે અને તેઓ ઘરની અંદર છે. ફાયરિંગ હજુ પણ ચાલુ છે.
જ્યારે સ્થાનિક લોકોને પૂછવામાં આવ્યું કે શું આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ છે, તો તેઓએ કહ્યું કે સત્તાવાળાઓ આ વિશે ખબર હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે કુપવાડામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું કે આ એન્કાઉન્ટર માછિલ સેક્ટરમાં થયું હતું.












Click it and Unblock the Notifications
