જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ : નરેન્દ્ર મોદીની રેલીને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા
શ્રીનગર, 8 ડિસેમ્બર : જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં ચૂંટણીસભાને સંબોધવાના છે. શ્રીનગરમાં 5 ડિસેમ્બરે આર્મી કેમ્પમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે નરેન્દ્ર મોદીની રેલીમાં કોઇ અવાંછિત ઘટના ના ઘટે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સઘન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઇન્ડો પાક બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. પોલીસ ઉપરાંત પાર્લિઆમેન્ટ્રી ફોર્સ દ્વારા રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર હાઇ એલર્ટ જાહેર કરીને એક્ટિવિટી પર ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત સાંબા સેક્ટરમાં એલઓસીના 32 કિલોમીટર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ગયા સપ્તાહે થયેલા આતંકવાદી હુમલાને કારણે રાજ્યમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.
નોંધનીય છે કે સુરક્ષા એજન્સીઓને સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે જમ્મુ કાશ્મીરમાં મોદીની રેલીને આતંકવાદીઓ નિષ્ફળ બનાવવા માંગે છે. જેના પગલે આતંકવાદીઓની ચાલને નિષ્ફળ બનાવવામાં તંત્ર કામે લાગી ગયું છે. જેના પગલે સમગ્ર ઘાટીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શ્રીનગર ઘાટીમાં કેવી સુરક્ષા વ્યવસ્થા છે તેની તસવીરો જોવા આગળ ક્લિક કરો...

નરેન્દ્ર મોદીની રેલીને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા
શ્રીનગરમાં 5 ડિસેમ્બરે આર્મી કેમ્પમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે નરેન્દ્ર મોદીની રેલીમાં કોઇ અવાંછિત ઘટના ના ઘટે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નરેન્દ્ર મોદીની રેલીને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા
સઘન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઇન્ડો પાક બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. પોલીસ ઉપરાંત પાર્લિઆમેન્ટ્રી ફોર્સ દ્વારા રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નરેન્દ્ર મોદીની રેલીને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા
આ ઉપરાંત સાંબા સેક્ટરમાં એલઓસીના 32 કિલોમીટર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ગયા સપ્તાહે થયેલા આતંકવાદી હુમલાને કારણે રાજ્યમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.

નરેન્દ્ર મોદીની રેલીને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા
નોંધનીય છે કે સુરક્ષા એજન્સીઓને સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે જમ્મુ કાશ્મીરમાં મોદીની રેલીને આતંકવાદીઓ નિષ્ફળ બનાવવા માંગે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
