પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર પોલિસે એનકાઉન્ટની માહિતી આપીને કહ્યુ હતુ કે આ એનકાઉન્ટર પુલવામા જિલ્લાના કસ્બા યાર વિસ્તારમાં ચાલી રહ્યુ છે. સુરક્ષાકર્મીઓને એ વાતની માહિતી મળી હતી કે વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા છે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધુ અને એનકાઉન્ટર શરુ થઈ ગયુ. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છૂપાયા છે.
નોંધનીય વાત એ છે કે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે સતત ફાયરિંગ થઈ રહ્યુ છે. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સેનાએ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દીધી છે. સુરક્ષાકર્મી એ કોશિશ કરી રહ્યા છે કે આતંકવાદીઓ આત્મસમર્પણ કરી દે પરંતુ હજુ સુધી આતંકવાદીઓ સતત ફાયરિંગ કરી રહ્યા છે જેનો સુરક્ષાકર્મીઓ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે આ વર્ષે ડઝનેક એનકાઉન્ટર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી થયેલા એનકાઉન્ટરમાં 40 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 72 સામાન્ય લોકો આ એનકાઉન્ટરમાં ઘાયલ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે આ એનકાઉન્ટરની માહિતી આપીને લોકસભામાં કહ્યુ હતુ કે પોલિસ સહિત સુરક્ષાબળોના 35 જવાન આ એનકાઉન્ટરમાં ઠાર મરાયા છે જ્યારે 86 જવાન ઘાયલ થયા છે.