જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ શરૂ, લશ્કર એ તોઈબાના 3 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઘેર્યા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે(11 મે) સવારે આતંકવાદીઓએ સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે(11 મે) સવારે આતંકવાદીઓએ સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ અનંતનાગના કોકરનાગ વિસ્તારના વેલુમાં થઈ રહી છે. આઈજીપી કાશ્મીરે મામલાની માહિતી આપી છે. આઈજીપી કાશ્મીરે કહ્યુ છે કે લશ્કરના ત્રણ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ચારે તરફથી ઘેરી લીધા છે. લશ્કરના ત્રણ આતંકવાદી અથડામણમાં ફસાયેલા છે. સુરક્ષાબળોને અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવા અંગે ખુફિયા માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યુ. જેમાં ત્રણ આતંકવાદીઓને ઘેરવામાં સુરક્ષાબળ સફળ થયુ છે. વધુ માહિતી મેળવાઈ રહી છે.

આતંકવાદીઓના સફાયામાં લાગ્યા છે સુરક્ષાબળો
તમને જણાવી દઈએ કે કોરોના કાળમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળ આતંકવાદીઓના સફાયામાં લાગ્યુ છે. રવિવારે(9 મે)ના રોજ એલઓસી પાસે પૂંછમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓ પર મોટી કાર્યવાહી કરીને અહીંથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા. વળી, પૂંછમાં એક આતંકવાદી છાવણીમાંથી સુરક્ષાબળોએ 19 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. હાલમાં જ સુરક્ષાબળોએ કાશ્મીરમાં એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ કર્યો છે. ગયા મહિને શોપિયામાં હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
