Jammu Kashmir Exit Polls : કાશ્મીરમાં છેલ્લી ચૂંટણીમાં એક્ઝિટ પોલ કેટલા સાચા હતા? જાણો શું હતા પરિણામો?
Jammu kashmir Exit Poll 2024 : હરિયાણામાં મતદાન પુરૂ થતા જ જમ્મુ કાશ્મીર અને હરિયાણાના એક્ઝિટ પોલ સામે આવવાના શરૂ થઈ ગયા છે.
હવે તમામ લોકોની નજર કાશ્મીરના એક્ઝિટ પોલ પર છે. 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ છે ત્યારે લોકો એ જાણવા માંગે છે કે કાશ્મીરના લોકોએ કોને મત આપ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર વચ્ચે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 63.45 ટકા મતદાન થયું છે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ ચૂંટણી છે.
જમ્મુ-કાશ્મીરની છેલ્લી ચૂંટણીમાં એક્ઝિટ પોલ કેેટલા સચોટ હતા?
2014 માં જમ્મુ અને કાશ્મીરમાં 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 87 સભ્યો ચૂંટાયા હતા, જેની મુદત 19 જાન્યુઆરી 2020 ના રોજ પૂર્ણ થવાની હતી. જો કે, પીડીપી-ભાજપ સરકાર પહેલેથી જ પડી ગઈ અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
2014 માં કાશ્મીર ચૂંટણીને લઈને સી-વોટર એક્ઝિટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 27-33 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 4-10 બેઠકો, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ 8-14 બેઠકો, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને 32-38 બેઠકો અને અન્ય 2-8 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી.
જો કે ચૂંટણી પરિણામો અલગ હતા. પીડીપી 28 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે બીજેપી 25 બેઠકો સાથે બીજા ક્રમે હતી. નેશનલ કોન્ફરન્સ 15 સીટો સાથે ત્રીજા અને કોંગ્રેસ 12 સીટો સાથે ચોથા ક્રમે હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
