જમ્મુ કાશ્મીરમાં બંધ પડેલા 50,000 મંદિરો સરકાર ખોલશે

5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. હવે આ રાજ્યનો વિશેષ દરજ્જો પૂરો થઇ ગયો છે અને રાજ્યને ફરીથી સંગઠિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. હવે આ રાજ્યનો વિશેષ દરજ્જો પૂરો થઇ ગયો છે અને રાજ્યને ફરીથી સંગઠિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ અંતર્ગત કેન્દ્ર સરકાર વર્ષોથી ખીણમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરવા જઈ રહી છે. સોમવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી દ્વારા માહિતી આપવામાં આવી છે કે સરકાર આ મંદિરોનો સર્વે કરી રહી છે. આ સર્વે બાદ ખીણના લગભગ 50,000 મંદિરો ફરી ખોલવામાં આવશે.

કાશ્મીરી પંડિતો માટે મંદિર અગત્યના છે

કાશ્મીરી પંડિતો માટે મંદિર અગત્યના છે

કિશન રેડ્ડીએ એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, અમે કાશ્મીર ખીણમાં બંધ શાળાઓ અને મંદિરોના સર્વે માટે એક સમિતિની રચના કરી છે. આ મંદિરો ફરીથી ખોલવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 50 હજાર મંદિરો બંધ કરાયા છે, જેમાંથી કેટલાક નાશ પામ્યા છે અને કેટલાક મૂર્તિઓ તોડી છે. અમે આવા મંદિરોના સર્વેનો આદેશ આપ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, 90 ના દાયકામાં, જ્યારે ખીણમાં આતંકવાદે માથું ઉંચકવાનું શરૂ થયું, ત્યારે કાશ્મીરી પંડિતો અહીંથી ચાલ્યા ગયા હતા.

ઘણા મંદિરો સેંકડો વર્ષ જુના

ઘણા મંદિરો સેંકડો વર્ષ જુના

આતંકીઓએ મોટા પાયે કાશ્મીરી પંડિતોની હત્યા કરી અને ઘણા મંદિરોને નુકસાન પહોંચાડ્યું. પંડિતોની હિજરત બાદ ખીણનાં ઘણાં મંદિરો બંધ થઈ ગયાં. આમાંના ઘણા મંદિરો છે જે કાશ્મીરી પંડિતોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં ભગવાન વિષ્ણુનું મંદિર પણ છે. તેવી જ રીતે પહેલગામમાં પણ ભગવાન શિવનું ખૂબ જૂનું મંદિર છે અને આ મંદિર પણ બંધ છે.

પાકિસ્તાનને ચેતવણી આપી

પાકિસ્તાનને ચેતવણી આપી

કિશન રેડ્ડીએ રવિવારે પાકિસ્તાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તે ભારત સાથે યુદ્ધ કરશે તો તેનું નામોનિશાન વિશ્વના નકશા પરથી ખોવાઈ જશે. આ સાથે તેમણે પીઓકેને હાંસલ કરવાની જરૂર પર પણ ભાર મૂક્યો. ગૃહ રાજ્યમંત્રીના કહેવા પ્રમાણે, આર્ટિકલ370 ને કારણે ખીણમાં આતંકવાદ ફેલાયો હતો. રેડ્ડીએ એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાને 1947, 1965, 1971 અને 1999 માં ભારત સાથે યુદ્ધો લડ્યા હતા પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો.

70 વર્ષોથી ખૂન ખરાબો

70 વર્ષોથી ખૂન ખરાબો

રેડ્ડીએ એમ પણ કહ્યું હતું કે 90 ના દાયકાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદે માથું ઉંચકવાનું શરૂ કર્યું ત્યારે લગભગ 42,000 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, રાજ્ય ગરીબી, બેરોજગારી, આતંકવાદ, લોહિયાળ અને હિંસાના તબક્કામાંથી પસાર થયું છે. આશરે 65,000 આતંકવાદી ઘટનાઓ બની છે અને 35,000 એકે-47 રાઇફલો કબજે કરવામાં આવી છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી. એટલું જ નહીં પરંતુ તેમને અનામતનો લાભ પણ મળ્યો નથી.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: કઠુઆમાંથી 40 કિલો RDX મળ્યું, સેનાએ ઘેરાબંધી કરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X