J&K: ત્રાલમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં ચેવા ઉલ્લર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં જવાનોએ એક આતંકીને ઠાર કરી દીધો છે.

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં ચેવા ઉલ્લર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં જવાનોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. અહીં ગુરુવારથી જ અથડામણ ચાલુ છે કારણકે સુરક્ષાબળોને સમાચાર મળ્યા છે કે અહીં બેથી ત્રણ આતંકવાદી છૂપાયા છે ત્યારબાજ જવાનોએ અહીં સર્ચ અભિયાન ચલાવ્યુ. સર્ચ દરમિયાન આતંકીઓએ જવાનો પર ગોળીઓ વરસાવી ત્યારે જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો અને આ દરમિયાન એક આતંકી માર્યો ગયો. જો કે એક-બે જવાનોના ઘાયલ હોવાના પણ સમાચાર છે.

pulwama

ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ સોપોરમાં સુરક્ષાબળોના જવાનોએ લશ્કર-એ-તોયબાના બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. જવાનોએ આ મહિનામાં લગભગ 32 જવાનોને મારી દીધા છે જ્યારે સેનાએ છેલ્લા 4 મહિનામાં 4 ટૉપ આતંકી કમાંડરોને માર્યા છે જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દી અને અંસાર ગજવાલ-ઉલ હિંદના કમાંડર શામેલ છે. વળી, સેના આ વર્ષે અત્યાર સુધી 102 આતંકીઓને ઠાર માર્યા છે.

તમને જણાવી દઈએ કે જમ્મુના કઠુઆમાં શનિવારે સુરક્ષાબળોએ પાકિસ્તાનથી આવેલા એક ચાઈનીઝ ડ્રોનને પાડી દીધુ હતુ જેમાં આતંકીઓ માટે હથિયાર અને દારૂગોળાનુ કંસાઈમેન્ટ ભરેલુ હતુ. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક મહિનાઓથી નિયંત્રણ રેખા પર કડકાઈ વધ્યા બાદથી પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી પર ઘણી હદ સુધી લગામ લાગી ચૂકી છે. આ પહેલા ખુફિયા એજન્સીઓએ માહિતી આપી હતી કે આતંકીઓને ઘાટીમાં સક્રિય રાખવા માટે પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરી શકે છે એટલા માટે બીએસએફ અને બાકી સુરક્ષા એજન્સીઓએ આ પ્રોટોકૉલ અપનાવી લીધો છે કે કોઈ પણ શંકાસ્પદ અનઆઈન્ડેટીફાઈડ ઑબ્જેક્ટને તત્કાલ મારી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X