કઠુઆ રેપના આરોપીએ હત્યાના કારણનો કર્યો સનસનીખેજ ખુલાસો
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. પોલિસના જણાવ્યા અનુસાર આ નિર્દયી ઘટના પાછળ મુખ્ય આરોપી સાંઝીરામનો હાથ છે.
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. પોલિસના જણાવ્યા અનુસાર આ નિર્દયી ઘટના પાછળ મુખ્ય આરોપી સાંઝીરામનો હાથ છે. પોલિસની પૂછપરછ દરમિયાન સાંઝીરામે જણાવ્યું કે તેને બાળકી સાથે બળાત્કાર વિશે ઘટનાના ચાર દિવસ બાદ જાણ થઈ. તેણે જણાવ્યું કે બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ તેના ચાર દિવસ બાદ મને ખબર પડી કે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેની પાછળ મારા પુત્રનો હાથ છે. મે મારા પુત્રને બચાવવા માટે બાળકીની હત્યાની યોજના બનાવી હતી.

પુત્રને બચાવવા કરી દીધી હત્યા
કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યુ કે બાળકી સાથે 10 જાન્યુઆરીએ બળાત્કાર થયો હતો. આ દિવસે સાંઝીરામના ભત્રીજાએ પણ બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કારના 4 દિવસ બાદ 14 જાન્યુઆરીએ બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. હત્યાના ત્રણ દિવસ બાદ બાળકીનો મૃતદેહ 17 જાન્યુઆરીએ જંગલમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં રામ અને તેના પુત્ર ઉપરાંત પાંચ અન્ય આરોપીઓની પોલિસે ધરપકડ કરી છે. આ ઘટના બાદ દેશભરના લોકોએ રસ્તા પર ઉતરીને આનો વિરોધ કર્યો હતો. આના કારણે સરકારને સગીરા સાથે બળાત્કારના કાયદામાં બદલાવ કરવો પડ્યો હતો.

જાતે જ કર્યુ હતુ કબૂલ
સાંઝીરામે પૂછપરછ દરમિયાન જણાવ્યુ કે જ્યારે તેના ભત્રીજાએ જાતે આ વિશે કબૂલ કર્યુ ત્યારે તેને 13 જાન્યુઆરીએ બાળકી સાથે બળાત્કાર વિશે જાણ થઈ. તપાસ કરી રહેલા અધિકારીઓ અનુસાર રામે પોતાના ભત્રીજા અને પુત્રને કહ્યુ કે તેણે મંદિરમાં પૂજા કરી લીધી છે અને તેણે પોતાના ભત્રીજાને કહ્યું કે તે પ્રસાદ લઈને ઘરે જાય. પરંતુ જ્યારે તે મોડેથી ઘરે પહોંચ્યો તો તેણે તેને માર્યો. માર ખાવાથી ભત્રીજાને લાગ્યું કે રામને બાળકી સાથે બળાત્કાર વિશે ખબર પડી ગઈ છે એટલે તેણે રામને આ ઘટના વિશે બધુ કહી દીધું.

ગાડી ન મળવાને કારણે લઈ ગયા મંદિર
ત્યારબાદ રામે બાળકીની હત્યા કરવાની યોજના બનાવી. આટલું જ નહિ પૂછપરછ દરમિયાન રામે કહ્યું કે તેણે પોતાના ભત્રીજાને પોતાનો ગુનો કબૂલી લેવા માટે મનાવી લીધો. હત્યાના એક દિવસ પહેલા 13 જાન્યુઆરીએ વિશાલ અને તેનો દોસ્ત પરવેશ બાળકીને મંદિરની બહાર લઈ ગયા અને ફરીથી એકવાર તેના પર બળાત્કાર કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી. વાસ્તવમાં આરોપી કોઈ પણ પ્રકારના પુરાવા છોડવા નહોતા માંગતા એટલે તેમણે બાળકીને હીરાનગરના નાળા પાસે લઈ જવાનો નિર્ણય કર્યો પરંતુ ગાડી ન મળવાને કારણે મૃતદેહને ફરીથી મંદિરમાં લઈ ગયા હતા.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
