us deported indian : સાંભળો હથકડી અને ચેનથી બંધાઈને અમેરિકાથી પરત મોકલાયેલા જસપાલ સિંહની દુખદ કહાની
us deported indian : અમેરિકા દ્વારા 104 ગેરકાનૂની ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. 5 ફેબ્રુઆરીએ અમેરિકન મિલિટરી વિમાન C-17 અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું અને ડંકી રૂટ દ્વારા અમેરિકા પહોંચેલા લોકોને પરત દેશમાં ઉતાર્યા.
અમેરિકાએ આ માટે 40 થી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. પરત ફરેલા લોકોમાં ગુરદાસપુર જિલ્લાના હરદોરવાલ ગામના 36 વર્ષીય જસપાલ સિંહ પણ સામેલ છે.

જસપાલ સિંહની દુખદ કહાની : હથકડી અને ચેન સાથેના અનુભવ
જસપાલ સિંહે જણાવ્યું કે, જ્યારે પ્લેન અમૃતસર પહોંચ્યું ત્યારે અમારી જંજીરો ખોલવામાં આવી. પીટીઆઈ સાથે વાત કરતા જસપાલ સિંહે ગુરદાસપુરથી અમેરિકા સુધીની તેમની સંપૂર્ણ કહાની વર્ણવી.
અમેરિકામાં પરત મોકલાયેલા ભારતીય નાગરિકોની દુખદ કહાની
સામાન્ય રીતે દિલ્હીથી અમેરિકાનો વિમાન પ્રવાસ 25-30 કલાકનો હોય છે પરંતુ જસપાલ સિંહને ત્યાં પહોંચવામાં 6 મહિના લાગ્યા. જસપાલ સિંહે જણાવ્યું કે, 24 જાન્યુઆરીએ તે અમેરિકા પહોંચ્યા પરંતુ ત્યાં સીમા ગશ્ત દળે તેને પકડી લીધો અને 11 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તેને પરત મોકલી દીધા.
જસપાલ સિંહનો અનુભવ: 6 મહિના મુસાફરી અને પરત મોકલાયા
જસપાલને પહેલા ખબર નહોતી કે તેને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, તેને લાગ્યું કે કદાચ તેને અન્ય કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેને ભારત લઈ જવામાં આવી રહ્યો છે. જસપાલ સિંહે જણાવ્યું કે, એક ટ્રાવેલ એજન્ટે તેને કાનૂની રીતે અમેરિકા મોકલવાનો વાયદો કર્યો હતો અને 30 લાખ રૂપિયાનો સોદો થયો હતો.
જસપાલે જણાવ્યું કે, મે એજન્ટને કહ્યું હતું કે મને યોગ્ય વીઝા મળ્યા બાદ જ અમેરિકા મોકલો, પરંતુ એજન્ટે મને છેતર્યો. પાછલા વર્ષે જુલાઈમાં તે વિમાન દ્વારા બ્રાઝીલ પહોંચ્યા હતા અને વાયદા મુજબ આગળનો પ્રવાસ પણ વિમાન દ્વારા થવાનો હતો. જો કે એજન્ટની છેતરપિંડી બાદ તેને ગેરકાનૂની રીતે સીમા પાર કરવી પડી.
દેવુ કરીને અમેરિકા ગયા અને હવે બરબાદ થવાનો જસપાલ સિંહનો અનુભવ
બ્રાઝીલમાં 6 મહિના રહેવા બાદ તેણે અમેરિકાની સીમા પાર કરી, પરંતુ ત્યાં તેને પકડી લેવામાં આવ્યો અને 11 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા અને પછી ભારત પરત મોકલવામાં આવ્યા.
જસપાલ સિંબે કહ્યું કે, હું પરત આવીને ખૂબ નિરાશ છું. ઘણા રૂપિયાનો ખર્ચ થયો, જે ઉધાર લેવામાં આવ્યા હતા. જ્યારે અમે કામ માટે વિદેશ જઈએ છીએ ત્યારે અમારા પરિવારના ઉત્તમ ભવિષ્ય માટે મોટા સપના હોય છે. હવે એ સપનાઓ તૂટી ગયા છે.
આ મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોદી સરકારને પ્રશ્ન કર્યો છે કે, ભારતીય નાગરિકોને હથકડી લગાવીને પરત મોકલવું શરમજનક છે. તેમણે 2013માં યુપીએ સરકારના સમયમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતીય રાજનયિક દેવયાની ખોબરાગડેને અમેરિકામાં હથકડી લગાવવામાં આવી હતી અને તેમની તલાશી લેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
