છત્તીસગઢના સુકમામાં નક્સલી મુઠભેડ, 20 જવાન શહીદ
રાયપુર, 11 માર્ચ: છત્તીસગઢ સુકમા જિલ્લામાં નક્સલીઓએ પોલીસ દળ પર ઘાત લગાવીને હુમલો કરી દિધો છે. આ મુઠભેડમાં છ જવાનો શહીદ થયા છે જેની પુષ્ટિ રાજ્યના ગૃહ મંત્રી રામસેવક પૈકરાએ કરી છે.
જો કે સ્થાનિક લોકોએ આ હુમલામાં 15 થી 20 લોકો શહીદ થવા હોવાનો દાવો કર્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે મુઠભેડમાં ઘણા જવાનોને ગોળીઓ વાગી છે.
કાબરાએ જણાવ્યું હતું કે જિલ્લાના તોંગાપાલ અને ઝીરમ ગામ નજીક રોડનું કામ ચાલી રહ્યું હતું છે. રસ્તાની સુરક્ષા માટે સુરક્ષા દળ જવાનોને ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. જવાનો જ્યારે રસ્તાની સુરક્ષા કરી રહ્યાં હત ત્યારે નક્સલીઓ દ્વારા પોલીસ દળ પર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે નક્સલીઓની સંખ્યા 40 થી 50ની આસપાસ હતી જેમને ઘાત લગાવીને હુમલો કર્યો.

આધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએફના લગભગ ત્રણ સો જવાન ઘટનાસ્થળ માટે રવાના થઇ ગયા છે. રાયપુરથી એક હેલિકોપ્ટર ઘાયલ જવાનોને લાવવા માટે રવાના થઇ ગયું છે. ઇજાગ્રસ્તોને તોંગપાલ લાવવામાં આવ્યા છે, કેટલાક ઇજાગ્રસ્ત જવાનોને જગદલપુર પણ સારવાર માટે લાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તોંગપલ ઝીરમ ઘાટી વિસ્તારમાં આવે છે, જ્યાં ગત વર્ષે કોંગ્રેસના કાફલા પર મોટો નક્સલી હુમલો થયો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
