અપ્રમાણસર સંપત્તિ કેસમાં જયલલિતાને રાહત
નવી દિલ્હી, 6 : સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આવકથી અધિક સંપત્તિના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને રાહત આપતા આ સંબંધમાં સુનવણીને 16 જૂન સુધી મુલતવી કરી દીધી છે.
ન્યાયમૂર્તિ જે એસ ખેહર અને ન્યાયમૂર્તિ સી નાગાપ્પનની ખંડપીઠે જયલલિતાની અરજી પર સુનવણી કરતા જણાવ્યું કે આવકથી વધારે સંપત્તિ કેસમાં સુનવણી ત્યાં સુધી થઇ શકે તેમ નથી જ્યાં સુધી ગેરકાયદેસર સંપત્તિના સ્વરૂપમાં બતાવેલી અચલ સંપત્તિ પર મદ્રાસ હાઇ કોર્ટના નિર્દેશ અનુસાર નિર્ણય આવી જતો નથી.

કોર્ટે શુક્રવારે દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા કે.અનબાલાગણને નોટિસ મોકલીને સ્થગિત રાખવાનો આદેશ પાછો ખેંચવાની અરજી કરી છે. જેથી આવકથી વધારે સંપત્તિ મામલાની સુનવણી નિર્બાધ ગતિથી થઇ શકે.
આ ઉપરાંત ન્યાયાલયે તમિલનાડુ પ્રવર્તન અને ભ્રષ્ટ્રચાર નિરોધક વિભાગે જયલલિતાની અરજી પર પ્રતિક્રિયા આપવા એક સપ્તાહનો સમય આપ્યો છે. જેથી સ્થાવર મિલકત કેસમાં બેંગલોરની વિશેષ અદાલતને નિર્ણય આવવા સુધી વધારે સંપત્તિ કેસમાં સુનવણી સ્થગિત રાખી શકાય.












Click it and Unblock the Notifications
