મૃત્યુના આગલા દિવસે સંપૂર્ણપણે સ્વસ્થ હતા જયલલિતાઃ એમ્સ

એમ્સના ડૉક્ટરોની રિપોર્ટ અનુસાર હૃદયરોગના હુમલાને કારણે જયલલિતાનું મૃત્યુ થયું એના આગલા દિવસે જયલલિતા સંપૂર્ણ રીતે હોંશમાં હતા.

તમિલનાડુ ના મુખ્યમંત્રી જયલલિતા પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા, તેમને માનસિક કે શારીરિક રીતે કોઇ તકલીફ નહોતી. હૃદયરોગના હુમલાને કારણે તેમની હાલત ગંભીર થઇ હતી, જેને કારણે અનેક પ્રયત્નો છતાં પણ જયલલિતાને બચાવવામાં નિષ્ફળ નહોતાં થયા.

jayalalithaa

એમ્સ મેડિકલ રિપોર્ટમાં આ જાણકારી જાહેર કરવામાં આવી છે, જે સોમવારે પહેલીવાર લોકો સામે રજૂ કરવામાં આવી. ચેન્નાઇના અપોલો હોસ્પિટલ ની રિપોર્ટમાં પણ આ જ વાત કહેવામાં આવી છે.

એમ્સની રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જયલલિતાના સ્નાયુઓ ખુબ નબળા પડી ગયા હતા, જેને કારણે તેમણે ફિઝિયોથેરાપી કરાવવાની સલાહ પણ આપવામાં આવી છે. તેમને પૉલિન્યૂરોપેથીની ફરિયાદ હતી, જેની સારવારમાં લાંબો સમય લાગે એમ હતો. આ દરમિયાન જ હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અહીં વાંચો - 3 કલાક ચાલી જેઠમલાણી અને જેટલીની દલીલ, જેટલી થયા ભાવુક

તો બીજી બાજુ અપોલો હોસ્પિટલની રિપોર્ટમાં ડૉક્ટર જી.સી.ખિલનાની અને અન્ય ત્રણ ડૉક્ટરોએ કહ્યું કે, પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં અમ્મા સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા, તેઓ પોતાની ખુરશી પર 20 મિનિટ સુધી બેસી શકતા હતા, પરંતુ ઊભા નહોતા થઇ શકતા. કારણ કે તેમના સ્નાયુઓ નબળા હતા. તેઓ વાતો કરી શકતા હતા, સૌને ઓળખી શકતા હતા. તેમને કોઇ તકલીફ નહોતી. અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X