મોદી સરકાર બનતા પહેલા નીતિશ બાબુએ વધારી ચિંતા, અગ્નિવીર યોજના, જાતિ આધારિત વસ્તી ગણતરી પર જેડીયુનુ દબાણ
JDU on Agniveer Scheme: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. આ વખતે એનડીએના સહયોગી ટીડીપી અને જેડીયુ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. જો કે સરકારની રચના પહેલા જ સાથી પક્ષોએ ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં ટીડીપી બાદ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ પણ બીજેપીને નવુૂ ટેન્શન આપ્યુ છે.
નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ પહેલા NDAએ પોતાના સાંસદોની એક બેઠક બોલાવી છે, જેમાં તમામ સાંસદો નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કરશે, પરંતુ આ પહેલા JDUએ અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર વ્યક્ત કરી છે.

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે મતદારોનો એક વર્ગ અગ્નિવીર યોજનાને લઈને નારાજ છે. અમારો પક્ષ ઇચ્છે છે કે જે ખામીઓ પર જનતાએ પ્રશ્નો ઉઠાવ્યા છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવે અને તેને દૂર કરવામાં આવે.
યુસીસી પર, જેડીયુના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીએ યુસીસી પર કાયદા પંચના વડાને પત્ર લખ્યો છે. અમે તેની વિરુદ્ધ નથી, પરંતુ તમામ હિતધારકો સાથે વાત કરીને ઉકેલ શોધવો જોઈએ."
આ સિવાય જાતિ આધારિત વસ્તીગણતરી પર જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે, "દેશમાં કોઈપણ પક્ષે જાતિ આધારિત વસ્તી ગણતરીને નકારી નથી. બિહારે રસ્તો બતાવ્યો છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં પણ વડાપ્રધાને તેનો વિરોધ કર્યો નથી. જાતિ આધારિત વસ્તી ગણતરી સમયની માંગ છે. વધુમાં જણાવ્યું હતું કે કોઈ પૂર્વ શરત નથી. બિનશરતી સમર્થન છે. પરંતુ બિહારને વિશેષ દરજ્જો આપવો એ આપણા હૃદયમાં છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
