પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન

ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપી દીધા છે.

નવી દિલ્લીઃ ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. જો કે દુમકા કોષાગાર કેસ હજુ પેન્ડીંગ છે માટે લાલુ પ્રસાદ યાદવને હાલમાં જેલમાં જ રહેવુ પડશે. મળતી માહિતી મુજબ સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં અડધી સજા પૂરી કરવાના આધારે પૂર્વ સીએમને જામીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એવા પણ સમાચાર છે કે કોર્ટે તેમને બે લાખ રૂપિયા જમા કરાવવાના પણ આદેશ આપ્યા છે.

lalu yadav

લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી પર શુક્રવારે ઝારખંડની હાઈકોર્ટે સુનાવણી કરી. આ દરમિયાન પૂર્વ સીએમ લાલુ તરફથી હાજર તેમના વકીલે દલીલ કરી કે ચાઈબાસા કેસમાં લાલુ યાદવે પોતાની 50 ટકા સજા પૂરી કરી લીધી છે. આના આધારે તેમને જામીન આપવા જોઈએ. તમને જણાવી દઈએ કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને ઘાસચારા કૌભાંડના બે અલગ અલગ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે સજા સંભળાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X