ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરને મળ્યો ગુજરાતના ઉભરતા દલિત નેતાનો સાથ
મંગળવારે મોડી સાંજે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચંદ્રશેખરના ઘરે પહોંચીને મુલાકાત કરી અને બંધ રૂમમાં લગભગ અડધો કલાક વાત કરી.
ભીમ આર્મી એકતા મિશનના સંસ્થાપક ચંદ્રશેખર જ્યારથી જેલમાંથી મુક્ત થયા છે તેમને મળવા આવનાર નેતાઓ, સામાજિક કાર્યકરોની અવરજવર સતત ચાલુ છે. એક તરફ મોટા પક્ષોના નેતાઓ મુલાકાત કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યોના ધારાસભ્યો અને મંત્રીઓની અવરજવર પર સતત ચાલુ છે. આ ક્રમમાં મંગળવારે મોડી સાંજે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચંદ્રશેખરના ઘરે પહોંચીને મુલાકાત કરી અને બંધ રૂમમાં લગભગ અડધો કલાક વાત કરી.

જિગ્નેશ મેવાણી મંગળવારે મોડી સાંજે સહારનપુર પહોંચ્યા અને અહીંથી તે દેહરાદૂન હાઈવે સ્થિત ગામ છુટમલપુરમાં ચંદ્રશેખરના ઘરે પહોંચ્યા અને મુલાકાત કરી. અતિથિ સત્કાર બાદ જિગ્નેશે ચંદ્રશેખર સાથે એકાંતમાં વાતચીત કરવાનો ઈશારો કર્યો. ત્યારબાદ બંને એક રૂમમાં જતા રહ્યા. બંધ રૂમમાં બંને વચ્ચે લગભગ અડધો કલાક વાતચીત થઈ. સૂત્રો અનુસાર ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર દલિત તેમજ ઓબીસી વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યુ કે શેખર દ્વારા રાજકીય ઉત્પીડન છતાં પોતાના સમાજ માટે ઉઠાવવામાં આવેલ અવાજમાં તે પોતાના તરફથી તેમની સાથે છે.
ચંદ્રશેખરે કહ્યુ કે કાશીરામની રાજકીય મુવમેન્ટને ઉભી કરવી છે. તેમને કોઈ ચલાવે કે ના ચલાવે ભીમ આર્મી ચલાવશે. મે ઘણુ બધુ કાશીરામની કાર્યશૈલીમાંથી શીખ્યુ છે. આ વાતચીતને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવી છે. મેવાણીને મળ્યા બાદ ચંદ્રશેખરે કહ્યુ કે વ્યક્તિગત રીતે તે મળવા આવ્યા હતા. જિગ્નેશ મેવાણીના પહોંચવાની સૂચના મળતા જ ભીમ આર્મીના સેંકડો સમર્થક સ્થળ પર પહોંચી ગયા હતા. ચંદ્રશેખરે આ મુલાકાત દરમિયાન મીડિયાને દૂર રાખ્યુ હતુ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
