વિપક્ષી નેતાઓની બેઠક પહેલા જીતનરામ માંઝીએ સમર્થન પાછુ ખેંચ્યુ, બીજેપી સાથે જઈ શકે છે
2024 લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર તમામ વિપક્ષી નેતાઓને એક મંચ પર લાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે તેમને બિહારમાંથી જ મોટો ઝટકો મળ્યો છે. હિંદુસ્તાન આવામ મોરચાના નેતા જીતનરામ માંઝીએ નીતિશ સરકારને આપેલુ સમર્થન પાછુ ખેંચવાની જાહેરાત કરી છે.
પટનામાં 23 જૂને મહાગઠબંધનની બેઠક પહેલા વિપક્ષો માટે આ મોટો ઝટકો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમારથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને માંઝીની પાર્ટી હિંદુસ્તાન આવામ મોરચાએ જાહેરાત કરી દીધી છે.

જેડીયુને આપેલુ સમર્થન પાછું ખેંચ્યા બાદ હિંદુસ્તાન આવામ મોરચાના પ્રમુખ સંતોષ સુમને કહ્યું કે, તે બિહાર સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો પત્ર રાજ્યપાલને સોંપશે. સંતોષ સુમને જણાવ્યું કે, નીતીશ કુમાર આજે સાંજે સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો તેમનો પત્ર રાજ્યપાલને સોંપશે. રાજ્યપાલ પાસે સમય માંગવામાં આવ્યો છે.
જેડીયુમાંથી સમર્થન પાછું ખેંચ્યા બાદ જીતનરામ માંઝી બીજેપી સાથે જોડાઈ શકે છે. જીતનરામ માંઝીએ આ માટે લગભગ આખી જમીન તૈયાર કરી દીધી છે.
તમને એ પણ જણાવી દઈએ કે, HAM કારોબારીની બેઠક પટનામાં જીતન માંઝીના સત્તાવાર આવાસ પર યોજાવા જઈ રહી છે. હિન્દુસ્તાની આવામ મોરચાએ ભાજપ સાથે ગઠબંધન કરવાનું મન બનાવી લીધું છે. આ માટે માંઝીએ મહાગઠબંધન પાસે 5 સીટોની માંગણી કરી હતી. કારોબારીની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન માટે સર્વસંમતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
