જ્યોતિરાદિત્યએ સિંધિયાએ ભગવો પહેરી કહ્યુઃ વ્યથિત છુ, બહુ બદલાઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટી
કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેક રાહુલ ગાંધીની ખૂબ જ નજીક ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે ભગવો રંગ ધારણ કરી લીધો છે.
છેવટે આતુરતાનો આવ્યો અંત અને મધ્ય પ્રદેશના રાજકારણના 'મહારાજ' જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં શામેલ થઈ ગયા છે. બુધવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી મુખ્યાલયમાં સભ્યપદ લીધુ. કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેક રાહુલ ગાંધીની ખૂબ જ નજીક ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે ભગવો રંગ ધારણ કરી લીધો છે. સભ્યપદ ગ્રહણ કર્યા બાદ સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો.
સિંધિયા બોલ્યા - મારા જીવનમાં બે દિવસ એવા આવ્યા, જેમણે મારુ જીવન બદલી દીધુ. પહેલો 30 સપ્ટેમ્બર 2001, જે દિવસે મે મારા પિતાને ગુમાયા. બીજી તારીખ 10 માર્ચ, 2020, જે તેમની 75મી વર્ષગાંઠ હતી. મારુ માનવુ છે કે આપણો ઉદ્દેશ જનસેવા હોવો જોઈએ. મારા પિતાજી અને મે હંમેશા આના પર કામ કર્યુ, મારુ મન ખૂબ જ વ્યથિત છે. કોંગ્રેસ હવે તે પાર્ટી નથી, જેની સ્થાપના થઈ હતી.
LIVE: Shri @JM_Scindia joins BJP in presence of BJP National President Shri @JPNadda. https://t.co/qO4pESzCX3
— BJP (@BJP4India) March 11, 2020
આ પણ વાંચોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા, જેપી નડ્ડાએ અપાવ્યુ સભ્યપદ