કન્હૈયા કુમારે ગિરિરાજ સિંહ માટે કંઈક આવું કહ્યું...
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહએ નવાડાથી લોકસભા સીટ નહીં મળવા પર પોતાનો રોષ પ્રગટ કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહએ નવાડાથી લોકસભા સીટ નહીં મળવા પર પોતાનો રોષ પ્રગટ કર્યો છે. ભાજપે તેમને નવાડા લોકસભા સીટથી નહીં પરંતુ બેગુસરાઈ સીટથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીના આ નિર્ણયથી ભાજપા સાંસદનું દર્દ છલકી આવ્યું અને તેમને કહ્યું કે તેમના સ્વાભિમાનને ફટકો લાગ્યો છે, બિહારમાં બીજા કોઈ ભાજપા સાંસદની સીટ નથી બદલવામાં આવી. ગિરિરાજ સિંહના નિવેદન પર સીપીઆઇ ટિકિટ પર બેગુસરાઈથી ચૂંટણી લડનાર કન્હૈયા કુમારે તેમના પર કટાક્ષ કર્યો છે.
આ પણ વાંચો: ન્યાય યોજના પર મેનકા ગાંધીનો કટાક્ષ, રાહુલ ગાંધીને ગણાવ્યા 'શેખચિલ્લી'

મંત્રીજીએ તો બેગુસરાઇને વંનક્કમ કહી દીધું: કન્હૈયા કુમાર
કન્હૈયા કુમારે ગિરિરાજ સિંહના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે, "લોકોને જબરજસ્તી પાકિસ્તાન મોકલનાર, પાકિસ્તાન ટૂર એન્ડ ટ્રાવેલ વિભાગના વિઝા મંત્રીજીને નવાડાથી બેગુસરાઈ મોકલવા પર હર્ટ થયા છે. મંત્રીજીએ તો બેગુસરાઇને વંનક્કમ કહી દીધું છે. કન્હૈયા કુમારે વધુ એક ટવિટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે કે બેસ્ટમેન મેદાન પર ઉતરવા માટે તૈયાર નથી અને ટીમ જીતની ખુશીની મીઠાઈ વહેંચી રહી છે. આવું ફક્ત ભાજપમાં જ થઇ શકે છે, નો લોજિક ફક્ત મેજીક. પરંતુ બેગુસરાઇની જનતા જાણે છે કે તેમના માટે કોણ સાથે રહેશે.
|
નવાડા લોકસભા સીટથી નહીં પરંતુ બેગુસરાઈ સીટથી ઉમેદવાર
ગિરિરાજ સિંહ બિહારમાં એનડીએ ઘટક દળો વચ્ચે સીટોની વહેંચણીથી નારાજ છે કારણકે નવાડાની સીટ રામવિલાસ પાસવાસની પાર્ટી લોજપાના ખાતામાં ગઈ છે. નવાડા થી સાંસદ ગિરિરાજ સિંહને પાર્ટીએ બેગુસરાયથી ટિકિટ આપી છે. ત્યારપછીથી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે.

સ્વાભિમાન સાથે બાંધછોડ નહીં: ગિરિરાજ સિંહ
સોમવારે ન્યુઝ એજેન્સી એએનઆઈ સાથે વાતચીતમાં ગિરિરાજ સિંહએ જણાવ્યું હતું કે તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. બિહારમાં બીજા કોઈ ભાજપા સાંસદની ટિકિટ નથી બદલવામાં આવી બિહાર ભાજપે મને જણાવવું જોઈએ કે મારી ટિકિટ કેમ કાપી છે. બેગુસરાયમાં મારા વિરુદ્ધ કઈ જ નથી પરંતુ હું મારા સ્વાભિમાન સાથે બાંધછોડ નહીં કરું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
